સુરતમાં ST અને BRTSના ડ્રાઈવરોની ફરિયાદને કારણે તંત્ર હરકતમાં આવ્યુ છે. ST વિભાગમાં ડ્રાઈવર દારૂ પીને ST હંકારતા હોવાને પગલે તેમનું હવેથી બ્રેથ એનેલાઈઝર દ્વારા ચેકિંગ કરવામાં આવશે તો BRTSમાં ડ્રાઈવરોની બેદરકારીને કારણે અત્યાર સુધીમાં 45 લોકો પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે જેને કારણે તંત્ર હરકતમાં આવ્યુ છે.
ST બસના ડ્રાઇવરોનું બ્રેથ એનલાઇઝરથી થશે ચેકિંગ
દારૂ પીને બસ ચલાવતા ડ્રાઇવરો પર કાર્યવાહી
BRTS રૂટ પર અકસ્માત ઘટાડવા કવાયત
સુરતમાં BRTS અને ST ડ્રાઈવરોની બેફામ બસ દોડાવવાની ફરિયાદો વારંવાર તંત્રને મળતી હતી જેને પરિણામે હાલ BRTSમાં 40 ડ્રાઈવરોને પાણીચુ આપી દેવાયુ છે જ્યારે 100 કંડક્ટરની પણ હકાલપટ્ટી કરવામાં આવી છે. જ્યારે ST ડ્રાઈવરો દારૂ પીને ST હંકારતા હોવાની રાવને કારણે તેમનું બ્રેથ એનેલાઈઝરથી રોજ ચેકિંગ કરવામાં આવશે.
સુરતમાં એસટી વિભાગ હરકતમાં આવ્યું છે. એસટી બસના ડ્રાઇવરો દારૂ પીને બસ ચલાવતા હોવાની અનેક ફરિયાદો બાદ. હવે એસટી વિભાગે એસટી બસના ડ્રાઇવરોનું બ્રેથ એનલાઇઝરથી ચેકિંગ કરવાનો નિર્ણય કર્યો છે. અને ચેકિંગ બાદ જ ડ્રાઇવરને સીટ પર બેસવા દેવાશે. સીટ પર બેસતા પહેલા બ્રેથ એનલાઇઝરથી ચેકિંગ કરવામાં આવશે અને રિપોર્ટ નેગેટિવ બતાવશે તો જ ડ્રાઇવિંગની મંજૂરી મળશે. જ્યારે રિપોર્ટ પોઝિટિવ આવે તો ડ્રાઇવર સામે કાર્યવાહી કરવામાં આવશે.
બેદરકારીથી ડ્રાઇવિંગ કરતા 40 ડ્રાઇવરોની હકાલપટ્ટી
સુરતમાં BRTS રૂટ પર અકસ્માત ઘટાડવા માટે સુરત મનપા દ્વારા જાગૃતિ ઝુંબેશ હાથ ધર્યું છે. જેમાં BRTS રૂટ પર બેદરકારીથી ડ્રાઇવિંગ કરતા 40 ડ્રાઇવરોની હકાલપટ્ટી કરાઇ છે. જ્યારે 100થી વધુ કટકી કરતા કંડક્ટરોની પણ હકાલપટ્ટી કરી દેવાઇ છે. કંડક્ટરોની હકાલપટ્ટી બાદ બ્લેકલિસ્ટ કરી દેવાયા છે. તો સાથે જ સુરત મનપાએ BRTS રૂટ પર સાવચેતીના બેનર લગાવી દેવાયા છે. અને રસ્તો ક્રોસ કરવા માટે ઝેબ્રા કોર્સિંગ પણ બનાવાયા છે. સુરત BRTS રૂટ પર રોજના 10 જેટલા વાહનો ખોટી રીતે ઘૂસી જાય છે. ત્યારે BRTS રૂટ જ્યારથી શરૂ થયો ત્યારથી અત્યાર સુધી 45 જેટલા લોકોના મોત થયા છે.