સુરતમાં કિન્નરોના આતંકનો ભોગ બનનાર ગહેરીલાલ નામના વ્યક્તિનું મોડી રાત્રે મોત નિપજ્યું છે. કિન્નરોએ ગોડાદરામાં દાંપુ લેવા બાબતે ગહેરીલાલ પર હુમલો કર્યો હતો. ગહેરીલાલ પાસેથી કિન્નરોએ 21 હજાર માગ્યા હતા જ્યારે તેઓએ 7 હજાર જ આપતા તેમના પર હુમલો કરી દેવાયો હતો.
જેને કારણે ગહેરીલાલના માથા પર ગંભીર ઇજા થતા સુરતની સ્મીમેર હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે. ત્યારે મૃતક ગહેરીલાલના પરિવારજનો દ્વારા બાળકોના ભરણપોષણની માગ કરવામાં આવી છે.
સુરતમાં એક આશ્ચર્ય પમાડે તેવી ઘટના સામે આવી છે. જેમાં ગોડાદરામાં દાંપુ લેવા ગયેલા કિન્નરો દ્વારા એક પરિવારના મુખ્યા પર કરેલા હુમલામાં ઇજાગ્રસ્ત પામેલા વ્યક્તિનું મોડી રાતે હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.
શહેરના ગોડાદરા ખાતે રહેતા ગહેરીલાલના ઘરે પુત્રનો જન્મ થયો હોય કિન્નરો દાંપુ લેવા પહોંચ્યા હતા. જેમાં કિન્નરોએ ગહેરીલાલ પાસે 21 હજારની માંગણી કરી હતી. જેમાં ગહેરીલાલે 7 હજાર આપ્યા હતા. જો કે તેમ છતાં કિન્નરો અને ગહેરીલાલ વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું જેમાં કિન્નરોએ હુમલો કરતાં ગહેરીલાલનું માતું દીવાલ સાથે અથડાયું હતું.
દિવાલ સાથે ગહેરીલાલનું માથું અથડાતાં ગંભીર ઇજા પહોંચી હતી. ગહેરીલાલને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં આજરોજ ગહેરીલાલનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. જેને લઇને મૃતકના પરિવારોએ પોલીસ સ્ટેશન જઇને ભરણપોષણની માગ કરી છે.