સુરતની સ્મીમેર હોસ્પિટલની બેદરકારી મામલે વહીવટી તંત્ર દ્વારા લુલો બચાવ કરવામાં આવી રહ્યો છે. સ્મીમેર હોસ્પિટલે મોડી રાત્રે ખુલાસો કર્યો છે. બંને દર્દીઓને બ્લડ સુગર, બ્લડ પ્રેશરની બિમારી હતી. છેલ્લા 3 દિવસથી આરોગ્યસચિવ સુરતમાં ધામા નાંખ્યા છે ત્યારે હવે CM રૂપાણી પણ મુલાકાતે આવવાના છે એવામાં સ્મીમેર હોસ્પિટલની બેદરકારી મામલો વધુ તુલ પકડી રહ્યો છે.
સ્મીમેર વહીવટીતંત્રનો લૂલો બચાવ
બંને દર્દીઓને બ્લડ સુગર, બ્લડ પ્રેશરની હતી બીમારી: સ્મીમેર
બંને દર્દીઓને ઓક્સિજન ન મળતા મૃત્યુ થયાનો પરિજનોનો હતો આક્ષેપ
અમદાવાદ બાદ સુરત કોરોનાનું હબ બન્યુ છે ત્યારે હવે આરોગ્ય સચિવ જયંતિ રવિની દોડાદોડ બાદ CM રૂપાણી અને DYCM નીતિન પટેલ સુરતની મુલાકાતે આવવાના છે એવામાં આ બેદરકારી સામે આવતા ખળભળાટ મચી ગયો છે.
એક દર્દીને ન્યુમોનિયા થયાનો ખુલાસો કરાયો છે. આ 2 દર્દીઓને ઓક્સિજન ન મળતા મૃત્યુ થયાનો પરિજનોએ આરોપ લગાવ્યો હતો. કોવિડ વોર્ડમાં દાખલ 2 દર્દીના મૃત્યુ થયા હતા. કાકાળિયાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ મૃત્યુ થયું હતુ. અને નરસી માગરોળિયાના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ મૃત્યુ થયુ હતુ.
કાપોદ્રાની ઇશ્વરકૃપા સોસાયટીમાં રહેતા 59 અને 65 વર્ષિય બે વૃદ્ધોને શ્વાસની તકલીફ થઇ હતી. કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતા ગુરુવારે સવારના સમયે સ્મીમેર હોસ્પિટલના કોરોનાની ઓપીડીમાં સારવાર માટે ખસેડાયા હતા. અહીં તેઓની હાલત ખરાબ થઇ હતી અને ઓક્સિજન ઉપર રખાયા હતા. શુક્રવારે સાંજે સાડા પાંચથી છ વાગ્યાના સમયે અચાનક જ બંનેના મોત નીપજ્યા હતા.
ક્યાં સુધી હોસ્પિટલ દાખવશે બેદરકારી?
ઓક્સિજનની નળી તૂટતા મોત થયું કે નહીં તેનો જવાબ કેમ આપતા નથી?
અન્ય બિમારીઓથી મોત થયુ હોવાનું ખપાવવાનો પ્રયાસ કેમ?
પરિવાર ઓક્સિજન બંધ થઈ જતા મોતનો આરોપ લગાવે છે તેનું શું?
કોની બેદરકારીને કારણે દર્દીનો જીવ ગયો એની તપાસ કેમ નહી?
ઓક્સિજનની નળી તૂટી ગઈ કે કેમ તે અંગે કેમ જવાબ ન આપ્યો?