સુરતના પનાસગામમાં મહાનગરપાલિકા આવાસના મકાનની છત તૂટી છે.દુર્ઘટના સર્જાતા 3 લોકો ઘાયલ થયા હતા. અને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં રોષ ફેલાયો હતો.ઉલ્લેખનીય છે કે 15થી 17 વર્ષ જુના મહાનગરપાલિકાના આવાસ છે.ત્યાં 720 મકાનોના આવાસમાં મરામતની જરૂરિયાત છે.
આ ઘટનાને પગલે 3 લોકો ઘાયલ થયા હતા. જો કે આ ઘટનાની જાણ નજીકના લોકોને થતા તાત્કાલિક બચાવઅર્થે પહોંચી આવ્યા હતા અને ઘાયલ થનારને તાત્કાલિક અસરથી નજીકના દવાખાને સારવાર માટે મોકલવામાં આવ્યા હતા. જો કે આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં રોષની લાગણી જોવા મળશી હતી.
અને લોકોએ માધ્યમો સાથે વાતચીત કરતા જણાવેલ કે મહાનગરપાલિકા દ્વારા જે 15થી 17 વર્ષ પહેલા જે આવાસો બનાવવામાં આવ્યા હતા તેના હપ્તા પણ મનપા ઉઘરાવવામાં આવે છે તેમ છતા કોઇ રિપેરીંગ નહીં કરાવાતા આજરોજ છત પડતા 3 મહિલાઓ ઘાયલ થતા તેમને સરકારી દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.
આપને જણાવી દઇએ કે આ આવાસ 15થી 17 વર્ષ જુનું બાંધકામ ધરાવે છે અને નાગરિકો દ્વારા વારંવાર આ મકાનોનું સમારકામ કરવા માટેની રજૂઆત કરવામાં આવી છતા નિંભર તંત્ર આંખ આડા કરતું રહ્યું છે ત્યારે આજરોજ મકાનની છત પડતા 3 નાગરિકો ઘાયલ થયા હતા.