આશારામનાં પુત્ર નારાયણ સાંઈ વિરૂદ્ધ દુષ્કર્મ કેસમાં આખરે સુરત સેશન્સ કોર્ટ ચૂકાદો આપી દીધો છે. સુરત સેશન્સ કોર્ટે નારાયણ સાંઇને દોષિત જાહેર કરી દીધો છે. છેલ્લાં 64 મહિનાથી લાજપોર જેલમાં બંધ નારાયણ સાંઈને લઇને આખરે કોર્ટે પોતાનો આપી દીધો છે. જેમાં તેને દોષિત કરાર કરવામાં આવેલ છે. જો કે 30 એપ્રિલે આ મામલે તેની સજા અંગેની સુનાવણી થશે. તેમજ ચુકાદા બાદ કોર્ટ બહાર પોલીસ સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે. જેથી સદનસીબે કોઇ બનાવ ન બની જાય. સાથે સાથે આરોપી ગંગા, જમુના અને હનુમાનને પણ દોષિત જાહેર કરવામાં આવ્યાં.
મહત્વનું છે કે, સુરતની યુવતી સાથે દુષ્કર્મ આચર્યાની જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં 6 ઓક્ટોબર 2013નાં રોજ ફરિયાદ નોંધાઈ હતી. જેને લઈને 4 ડિસેમ્બર 2013નાં રોજ હરિયાણાનાં કુરુક્ષેત્રમાંથી નારાયણ સાંઈની ધરપકડ કરવામાં આવી હતી અને છેલ્લાં સાડા પાંચ વર્ષથી તેની સામે કેસ ચાલી રહ્યો છે. આ પૂર્વે કોર્ટમાં તમામ સાક્ષીઓને સાંભળવામાં આવ્યાં હતાં.
ઉલ્લેખનીય છે કે તમને જણાવી દઇએ કે સુરતની એક મહિલા સાથે બળાત્કારનાં આરોપમાં ફરાર થયેલાં નારાયણ સાંઈની દિલ્હી-હરિયાણાની બોર્ડર પરથી ધરપકડ કરવામાં આવી હતી. આસારામ બાપૂનાં પુત્ર નારાયણ સાંઈ વેશ બદલીને ફરતા હતાં. સુરત સ્થિત બે બહેનોએ આસારામ અને તેમનાં પુત્ર નારાયણ સાંઈ પર યૌન ઉત્પીડનાં આરોપ લગાવ્યાં હતાં. જ્યાર બાદ સુરત પોલીસે જહાંગીરપૂરા પોલીસ સ્ટેશનમાં 6 ઓક્ટોબરનાં રોજ બંને વિરુદ્ધ એફઆઈઆર નોંધી હતી. બંને બહેનોમાં નાની બહેને નારાયણ સાંઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આરોપ એવો હતો કે નારાયણ સાંઈએ 2002થી 2005 દરમિયાન સુરત આશ્રમમાં યુવતીનું સતત યૌન શોષણ કર્યુ છે.
સુરતનાં જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં બે ફરિયાદ નોંધાવ્યાં બાદ આસારામ વિરૂદ્ધ ફરિયાદને અમદાવાદનાં ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં સ્થાનાંતરિત કરવામાં આવી. કારણ કે કથિત ઘટના એ જ વિસ્તારમાં થઈ હતી. બંને બહેનોમાંથી મોટી બહેને આસારામ પર 1997થી 2006 દરમિયાન સતત યૌન ઉત્પીડનનો આરોપ લગાવ્યો છે. તે સમયે તે અમદાવાદ શહેરનાં બહારી વિસ્તારમાં આશ્રમમાં રહેતી હતી. રાજસ્થાનનાં પોતાનાં જોઘપુર આશ્રમમાં એક કિશોરીનાં યૌન ઉત્પીડન કરવાનાં આરોપમાં 72 વર્ષીય આસારામની ઓગસ્ટમાં ધરપકડ કરવામાં આવી હતી અને તે હજી સુધી પણ છેલ્લાં 64 મહીનાથી સતત જેલમાં જ છે.