સોટી વાગે ચમચમ અને વિદ્યા આવે ધમધમ. આ કહેવત તો તમે સૌ જાણતા જ હશો. પણ સમયની સાથે-સાથે એવાં શિક્ષકો પણ નથી રહ્યાં. આજ કાલ એવાં પણ શિક્ષકો છે જે સારો અભ્યાસ કરાવે છે. પરંતુ કેટલાંક એવા શિક્ષકો છે કે જેઓ શિક્ષણજગતને શર્મસાર કરી મુકે છે.
સુરત (Surat) નાં વરાછામાં આવેલી આશાદીપ-3 શાળામાં એક શિક્ષક દ્વારા વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો છે. પરંતુ વિદ્યાર્થી (Student) ને માર મારવાનું કારણ જાણીને તમને પણ નવાઈ લાગશે. જેમાં કારણ બસ એ જ હતું કે વિદ્યાર્થીએ ખિસ્સામાં હાથ રાખ્યો હતો. બસ આ જ મામલે શિક્ષક (Teacher) રોષે ભરાયા અને વિદ્યાર્થીનાં વાળ ખેંચીને તેને ઢોર માર (Beat) મારવા લાગ્યાં. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. ત્યારે આ મામલે વાલીઓ ભારે રોષે ભરાયા હતાં.
સ્કૂલ સંચાલકોને જ્યારે ફરિયાદ કરી ત્યારે શિક્ષકને બચાવવાનો પ્રયાસ કરતાં વાલીઓએ શિક્ષકને સ્કૂલથી બહાર કાઢીને માર માર્યો હતો. જેનાં CCTV ફૂટેજ પણ સામે આવ્યાં છે. રોષે ભરાયેલા વાલીઓએ શિક્ષકને મેથીપાક ચખાડ્યો હતો. જો કે વાલીઓએ કાયદો હાથમાં લીધો હતો. આ મામલે સ્કૂલ સંચાલકોએ શું કાર્યવાહી કરી તે અંગે હજુ સુધી કોઈ વિગતો મળી નથી.
ઈજાગ્રસ્ત શિક્ષકને કરાયા દાખલ
સ્કૂલ દ્વારા જાહેર કરવામાં આવેલા આ વીડિયોમાં વાલીઓ શિક્ષકને લાકડી વડે માર મારી રહ્યાં છે. શિક્ષકોને કલાસરૂમમાંથી બહાર કાઢીને વાલીઓએ માર માર્યો હોવાનું વીડિયોમાં જોવા મળી રહ્યું છે. જેથી શિક્ષકને માર મરાતા ઈજાગ્રસ્ત થયેલા શિક્ષકને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હોવાનું સંચાલકોએ જણાવ્યું હતું.