કોરોનાની મહામારી હોવા છતાં બેફામ ફી ઉઘરાવતી સ્કૂલોની મનમાની હજી યથવાત જ જોવા મળી રહી છે. સુરત શહેરની એસ. ડી. જૈન સ્કૂલની દાદાગીરી જોવા મળી છે. સ્કૂલ દ્વારા 500 વિદ્યાર્થીઓને ઓનલાઇન સ્ટડી ગ્રુપમાંથી રીમૂવ કરી નાંખ્યા છે. આમ કોર્ટમાંથી કોરોના કાળમાં ફી ઉઘરાવતી શાળાોને કોર્ટમાંથી ફિટકાર પડ્યા છતાં સુરતની એસ. ડી. જૈનની સ્કૂલની દાદાગીરી જોવા મળી છે. રાજ્યમાં કોર્ટ દ્વારા શાળાઓ ફી મુદ્દે વાલીઓને દબાણ કરી શકશે નહીં તેમ જણાવ્યું હતું. આમ કોર્ટ દ્વારા વાલીઓને રાહત આપતો આદેશ કર્યો છે.
સુરતની એસ.ડી.જૈન સ્કૂલની દાદાગીરી
500 વિદ્યાર્થીઓને ઓનલાઇન સ્ટડી ગ્રુપમાંથી રીમૂવ કર્યા
વિદ્યાર્થીઓને રીમૂવ કરતા વાલીઓ સ્કૂલ પર પહોંચ્યાં
સુરતમાં વધુ એક સ્કૂલની દાદાગીરી સામે આવી છે. સુરતની એસ.ડી.જૈન સ્કૂલે વિદ્યાર્થીઓને ઓનલાઇન સ્ટડી ગ્રુપમાંથી રીમૂવ કરી દીધા છે. ફી ન ભરતા એસ.ડી.જૈન સ્કૂલે 500 વિદ્યાર્થીઓને રીમૂવ કરી દીધા છે. જેને લઇ વાલીઓએ સ્કૂલના પરિસરમાં હોબાળો મચાવ્યો છે. વાલીઓએ કહ્યું કે સ્કૂલ દ્વારા ફી ભરવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીમાં સ્કૂલ ફીને લઇ વાલીઓને કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી હતી. ત્યાર બાદ શાળાઓની ફી બાબતે સરકારના પરિપત્રને લઇ કોંગ્રેસ દ્વારા સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા.
કોંગ્રેસ દ્વારા જણાવાયું હતું કે કોરોના મહામારીની સૌથી વધુ અસર શિક્ષણ ક્ષેત્ર પર જોવા મળી. કોંગ્રેસે સવાલ ઉઠાવ્યાં હતા કે, શાળાઓ બંધ હતી તો ફી કેમ વસુલ કરે છે?. શાળા સંચાલકો ફરજિયાત ફી ભરવા દબાણ કરે છે. સરકારની મિલીભાગતને કારણે સંચાલકોને ખુલ્લો દોર મળ્યો છે.