સુરતઃ ગુજરાતના એક કરોડપતિ કાપડના વેપારીનો દીકરો અને દીકરી દુનિયાની તમામ સુખ-સુવિધાઓનો ત્યાગ કરી વૈરાગ્ય અને સંયમના રસ્તે જવાનો નિર્ણય લીધો છે. બન્ને 9 ડિસેમ્બરે સુરતમાં દીક્ષા લેવા જઇ રહ્યા છે જેની તૈયારીઓ શરૂ થઇ ચૂકી છે. ત્યારબાદ ભાઇ-બહેન બન્નેની જિંદગી સમગ્ર રીતે બદલી જશે.
સુરતના અડાજણ વિસ્તારમાં આવેલ ઇશિતા સોસાયટી કરોડપતિ પરિવારના વસવાટ માટે જાણીતી છે. આ સોસાયટીના એક બંગલામાં રહેતા કાપડના વેપારી ભરત વોરા પોતાની પત્ની જ્યોત્સના બેન દીકરા યશ દીકરી આયુષી અને નાના દીકરા રાજ સાથે રહે છે.
ભરત વોરાની પાસે રૂપિયા-સંપત્તિની કોઇ કમી નથી. તે છતા પણ ત્રણેય સંતાનોમાં સૌથી મોટી દીકરી આયુષી અને તેનાથી નાનો દીકરો યશે તમામ સુખ-સુવિધાઓનો ત્યાગ કરી જૈન ધર્માનુસાર દીક્ષા લેવાનો નિર્ણય લીધો છે.
કાપડના વેપારી ભરત વોરાની દીકરી આયુષી અને દીકરો યશ વોરાને જીવનમાં કંઇક અલગ કરવાની ઇચ્છા હતી. તેમણે સંયમનો રસ્તો અપનાવ્યો.