સુરત શહેરની એક હોનહાર યુવતી ફેશન ડિઝાઈનીંગનું ભણી ગણી અને સફળ વ્યવસાય કરતી હતી તે આગામી 2 ડિસેમ્બરના દિવસે દીક્ષા લેશે.
છોડવુ સહેલુ છે પકડવુ અઘરૂ
દોઢ વર્ષ પહેલા રોપાયા દિક્ષાના બીજ
17મી નવેમ્બરે નીકળશે વરઘોડો
નિરાલીએ ફેશન પંસદ હતી
સુરતના નાનપુરામાં રહેતા મહેતા પરિવારની લાડકી દીકરી દીક્ષા લેવા જઈ રહી છે. વાવનિવાસી પરીવારની લાડલી નિરાલીએ બીકોમ પાસ કર્યા બાદ ફેશન ડિઝાઇનિંગમાં પોતાની કારકિર્દી આત્મબળે બનાવી હતી. આ ફિલ્ડમાં તેનું નામ બની રહ્યુ હતુ અને અચાનક સંયમનો પવન લહેરાયો અને ફેશનમાંથી સંયમનું લેશન લઇને તે ફેશન ડિઝાઇનિંગનું ફિલ્ડ જ નહી પણ સમગ્ર સંસારની મોહમાયાનું મેદાન છોડીને દીક્ષાના દરબારમાં પ્રવેશી ગઇ
છોડવુ સહેલુ છે પકડવુ અઘરૂ
નિરાલીએ કહ્યુ કે છોડવુ સહેલુ છે પકડવુ અઘરૂ છે. જેમની પાસે કરોડો અબજોની સંપતિ છે એ પણ સુખી નથી પણ સાધુ-સાધ્વીજીઓને મેં નિજાનંદ મસ્તીથી વિહરતા જોયા છે. સંસારી જીવનમાં ઇચ્છાઓ ક્યારેય પુરી થતી નથી એક પુરી થાય અને બીજી જન્મે છે.
દોઢ વર્ષ પહેલા રોપાયા દીક્ષાના બીજ
દીક્ષાના બિજ વિશે કહ્યુ કે દોઢ વર્ષ પહેલા પાલિતાણાં ઉપધાન તપ કર્યા ત્યારે પૂ. યોગતિલકસૂરિશ્વરજી મહારાજની વાણીથી વૈરાગ્ય જાગ્યો અને ત્યારે જ દીક્ષા લેવાનું નક્કી કર્યુ હતું.
17મી નવેમ્બરે નીકળશે વરઘોડો
નિરાલીએ ગુરૃકુળવાસ, વિહાર અને સિદ્ધીતપ, 99 યાત્રા પણ કરી છે. આગામી 2જી ડિસેમ્બરે સુરતમાં પાલ રોડ પર શાંતિવર્ધક ઉપાશ્રયની પાસે અધ્યાત્મ નગરીમાં જૈનાચાર્ય જિનચન્દ્રસૂરિશ્વરજી અને યોગતિલકસૂરિશ્વરજી મહારાજાની નિશ્રામાં આયોજિત 18 સામૂહિક દીક્ષામાં નિરાલી દીક્ષા ગ્રહણ કરશે. એ પૂર્વે તા 17મી નવેમ્બર રવિવારે બાબુનિવાસની ગલી, સર્વમંગલથી સવારે 9 વાગ્યે તેનો વરસીદાનનો વરઘોડો નીકળશે. જે નાનપુરા વિસ્તારમાં ફરશે.