આજના આધૂનિક યુગમાં માણસને ગમે તેમ કરી પૈસાદાર થવું છે. બીજાનું ભલુ થાય કે ન થાય પણ ખુદનું ભલુ થવું જોઈએ. ખુદના ભલા માટે માણસ ગમે તે કરતા હોય છે. પોતાના સ્વાર્થ અને પૈસાદાર થવા માટે પતનને પણ ગળે લગાડી લેતા હોય છે. ગઈકાલે સુરતમાં સામે આવેલ ઘટના કંઈક આવી જ છે.
સુરત શહેરના એક શખ્સે ખુદના ભલા માટે ખેલ ખેલ્યો પરંતુ આ ખેલ બહુ લાબો સમય સુધી ન ચાલ્યો આવી ગયો કાયદાના સકંજામાં આવી ગયો. દેશ અને દુનિયા જાણે છે કે પત્રકારને સંબંધ ખબર સાથે હોય છે. એક સારા સમાચાર માટે પત્રકાર જીવના જોખમે લાવતો હોય છે. પરંતુ આ શખ્સ મફતમાં પત્રકાર બની તોડપાણીનો ધંધો ચાલું કર્યો.
સુરત જેવી ઔદ્યોગિક નગરીમાં રાતો રાત પૈસાદાર થવા માટે આ ખેલ શરૂઆતમાં સારી રીતે ચાલ્યો પરંતુ પાપ છાપરે ચડીને પોકારે તેવો જ ઘાટ શખ્સની સાથે પોલીસે બાતમીના આધારે આ શખ્સને દબોચી લીધો.
સુરતના ખટોદરા પોલીસ મથકની હદ વિસ્તારમાં આવેલ એક કાપડની મિલ માલિક પાસેથી આ નકલી પત્રકારે તોડપાણી કર્યા હતા. 70 હજારનો તોડ કર્યો નકલી પત્રકારની ગેંગ સુરતના લાલ દરવાજા ખાતે રહેતા મિલ માલિક કમલેશભાઈ રમણભાઈના 70 હજાર રૂપિયા રૂપિયા પડાવી લીધા.
પાછળ મીલ માલિકને જાણ થતા તેણે આ અંગે ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે મયુર ઉર્ફે મોન્ટુ અરુણભાઈ પાટીલ અલાઉદીન શેખ તથા કિશોર સીરસાટ નામના ઇસમોએ પોતાને પત્રકારની ઓળખ આપી ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી 70 હજાર રૂપિયા પડાવી લીધા હતાં.
જેને આધારે ખટોદરા ત્રણ પૈકી એક મયુર ઉર્ફે મોન્ટુ અરૂણભાઈ પાટીલ નામના ઇસમની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. જ્યારે અન્ય બે આરોપીઓ ફરાર છે તેમને પકડવાનાં ચક્રો ગતિમાન કર્યા છે. મયુર પાસે કોઈ કામ ધંધો ન હતો માટે તોડપાણીનો ધંધો ચાલું કર્યો હતો. આ ધંધો જેલ સુધી લઈ ગયો.
સુરત શહેરમાં સૌથી વધુ વખત નકલી પત્રકાર ઝડપાયા છે અને શાંત ગણાતા સુરતમાંદર મહિને નકલી પત્રકાર ઝડપાઈ રહ્યાં છે. પુરા મામલે પોલીસ જ નહી પરંતુ પ્રજાએ સાવધાન રહેવાની જરૂર છે.
પત્રકારનું કામ પ્રજાના સવાલ તંત્ર સુધી પહોંચાડવાનું હોય છે. નહી કે તોડ કરવાનો જો કોઈ તમારી પાસે પત્રકારનું નામ આપી પૈસા માગે તો સમજજો કે આ પત્રકાર નહી લૂંટારૂ છે. આ મામલે તમે પોલીસની મદદ લઈ તેને પાઠ ભણાવી શકો છો.