રાજદ્રોહના કેસમાં છેલ્લા ત્રણ મહિનાથી સાબરમતી જેલમાં સજા કાપી રહેલા પાસ કન્વીનર અલ્પેશ કથીરિયા ને ક્રાઈમ બ્રાન્ચની ટીમ હવે સુરત લઈ ગઈ છે.
મહત્વનું છે કે વર્ષ 2015માં અમરોલી પોલીસ સ્ટેશનમાં અલ્પેશ વિરૂદ્ધ રાજદ્રોહનો કેસ નોંધાયો હતો. જેના અનુક્રમે ગઈકાલે મોડી સાંજે અલ્પેશને સુરત ક્રાઈમ બ્રાન્ચ ખસેડાયો હતો. જ્યાં આજે સાંજે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
આપને જણાવી દઇએ કે સુરતના અમરોલીમાં રાજદ્રોહ કેસ મામલે પાસ કન્વીનર અને પાટીદાર અગ્રણી અલ્પેશ કથીરિયાનો સુરત ક્રાઈમ બ્રાંચે કબજો મેળવ્યો હતો. સુરત ક્રાઈમ બ્રાંચ અલ્પેશ કથીરિયાને અમદાવાદથી ટ્રાન્સફર વોરંટથી સુરત લાવી. તે સમયે પાસના કેટલાક કાર્યકરોએ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. આ સાથે જ ક્રાઈમબ્રાંચ કચેરીની બહાર પાસના કેટલાક કાર્યકરો ભેગા થતા પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે રાજદ્રોહના કેસમાં પાટીદાર અગ્રણી અલ્પેશ કથિરીયા છેલ્લા 2 માસથી વધુના સમયથી અમદાવાદની સાબરમતી જેલમાં બંધ હતા જેનો કબજો આજરોજ સુરત ક્રાઇમ બ્રાંચે લઇને તેને સુરત લઇ જવામાં આવ્યો હતો.