સુરતઃ બાળકી પર થયેલ દુષ્કર્મ અને હત્યાનાં મામલે સુરતનાં એક વેપારી દ્વારા એક અલગ પ્રકારની મુહિમ ચલાવવામાં આવી રહી છે. મહત્વનું છે કે વેપારીએ સાડીનાં બોક્ષ પર બાળકીનાં પોસ્ટર છપાવ્યાં છે કે જેથી દેશનાં અનેક રાજ્યોમાં વેચાતી સાડીનાં કારણે આ બાળકીની ઓળખ થઇ શકે.
આ સાથે વેપારીએ માહિતી આપનારને 25 હજાર રૂપિયાનું ઈનામ અપાશે એવી જાહેરાત પણ કરાઇ છે. ઉલ્લેખનીય છે કે થોડાં દિવસો પહેલાં સુરતનાં પાંડેસરા વિસ્તારમાંથી એક 11 વર્ષીય બાળકીની લાશ મળી આવી હતી. આ બાળકી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને બાદમાં તેનું ગળું દબાવીને હત્યા કરી નાંખવામાં આવી હતી.
તેમજ આ બાળકીનાં શરીર પરથી 86 જેટલા ઈજાનાં નિશાન મળી આવ્યાં છે. જો કે હજી સુધી આ બાળકીની ઓળખ થઇ નથી. જેથી સુરતનાં એક વેપારીએ સાડીનાં બોક્ષ પર આ બાળકીનાં પોસ્ટર છપાવ્યાં છે કે જેને લઇ દેશનાં અનેક રાજ્યોમાં વેચાતી તેઓની સાડીને કારણે આ બાળકીની ઓળખ થઇ શકે તેમજ જે આ બાળકીની ઓળખ કરશે એટલે કે તેની માહિતી આપશે તેને રૂ.25 000નું ઇનામ પણ આપવામાં આવશે.