મોદી સરકાર-2ના કાર્યકાળમાં આજે પ્રથમ વખત રક્ષામંત્રી રાજનાથ સિંહ સુરતની મુલાકાતે છે. આ દરમિયાન તેઓ 'એક શામ શહીદો કે નામ'ના કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, કથાકાર મોરારિબાપુ પણ હાજર રહ્યા હતા. દેશના 24 રાજ્યોમાંથી 120 જેટલા શહીદ જવાનોના પરિવારોનું સમ્માન કરાયું. સાથે જ દરેક પરિવારને અઢી લાખ રૂપિયાના ચેક આપવામાં આવ્યો. આ દરમિયાન રક્ષામંત્રીએ પાકિસ્તાન પર પ્રહાર કર્યા હતા.
પાકિસ્તાન આતંકવાદ રોકશે નહીં તો વધુ ટુકડા થશેઃ રાજનાથસિંહ
LoC ક્રોસ કરનાર કોઈ પરત જશે નહીઃ રાજનાથસિંહ
ભારતને અખંડ રાખવાનુ કામ સેનાએ કર્યુ છેઃ રાજનાથસિંહ
સુરતમાં રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, શહીદોનું આવી રીતે સન્માનની કલ્પના પણ કરી નથી. દેશમા ભામાશાની ખોટ નથી. મોટા મનના લોકો જ આવા કાર્યક્રમ કરી શકે. પાડોશી દેશને ભારતની પ્રગતિ સહન નથી થતી. પાડોશી દેશ ભારતની પ્રગતિ જોઈ શકતુ નથી. 370ની નાબુદી પ્રધાનમંત્રીએ ઐતિહાસિક નિર્ણય લીધો.
ભારતના અલ્પસંખ્ય સુરક્ષિતઃ રાજનાથ સિંહ
આતંકવાદ મુદ્દે રક્ષામંત્રી રાજનાથ સિંહે ફરી એક વખત પાકિસ્તાને આડેહાથ લીધું છે. રાજનાથ સિંહે કહ્યું કે, પાકિસ્તાનને આતંકવાદ પર નિયંત્રણ લાવવું જોઇએ, નહીં તો કોઇ પણ તેને ટુકડા થતા નહીં રોકી શકે. રાજનાથ સિંહે કહ્યું કે ભારતના અલ્પસંખ્યક સુરક્ષિત હતા, સુરક્ષિત છે અને સુરક્ષિત રહેશે. ભારત જાતી કે ધર્મના આધાર પર લોકોને વિભાજિત નથી કરતું. અખંડ ભારત રાખવાનું કામ સેનાના જવાનોએ કર્યું છે.
Defence Minister Rajnath Singh in Surat: Pakistan, which isn't able to provide security to the minorities in its country, is talking about human rights. If human rights violations are taking place anywhere, it's in Pakistan. Minority in India was safe, is safe, & will remain safe pic.twitter.com/fVtW6XtQwq
રાજનાથ સિંહે કહ્યું કે, કલમ 370ને રદ કરવાના ભારતના નિર્ણયને પાકિસ્તાન પચાવી નથી શકતું. પાકિસ્તાન સંયુક્ત રાષ્ટ્રમાં ગયું અને તેમને ભ્રમિત કરવાના પ્રયત્નો કર્યા.
ભારતમાં કોઇ ઘુસણખોરી કરશે તો જીવિત પરત નહીં ફરેઃ રાજનાથ સિંહ
બોર્ડર પર શહીદ થયેલા 120 સૈનિકોની યાદમાં રાખવામાં આવેલ કાર્યક્રમમાં રાજનાથ સિંહે કહ્યું કે, જો પાકિસ્તાન તરફથી કોઇ પણ ઘુસણખોરી હોય છે તો અમારી સેના આના માટે પણ તૈયાર બેઠી છે. કોઇ પણ ઘુસણખોર ભારતથી જીવિત પરત નહીં ફરે.
તેમણે કહ્યું કે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને પોતાના લોકોને યોગ્ય સલાહ આપી છે કે તેમને LoC ક્રોસ ન કરવી જોઇએ કારણે આપણી સેના તૈયાર છે. જો તેઓ બોર્ડર પાર કરી આવે છે તો તેઓ પરત નથી જઇ શકતા. ઇમરાનખાને મુઝફ્ફરાબાદમાં શુક્રવારે કહ્યું હતું કે પાકિસ્તાનના લોકોને આગ્રહ કર્યો હતો કે તેઓ LoC તરફ પ્રયાણ ન કરે જ્યાં સુધી તેઓ તેમને ન પૂછે. પાકિસ્તાન આંતકવાદ ખતમ કરશે પછી વાતચીત થશે.
રાજનાથ સિંહે કહ્યું કે પાકિસ્તાન કાશ્મીરમાંથી 370 હટાવવાના ભારતના નિર્ણયને પચાવી નથી શકતું અને તેઓ ગુમરાહ કરવા માટે આ મુદ્દાને યૂએનમાં લઇ ગયા હતા.
#WATCH Defence Minister Rajnath Singh: India was divided into two parts on the basis of religion- India & Pakistan were formed. Pakistan was again partitioned in 1971. If this politics continues, no power can stop Pakistan from being broken into pieces. pic.twitter.com/EsnNnYaq6d