દેશભરમાં કોરોના વાયરસની મહામારીનો હાહાકાર જોવા મળી રહ્યો છે. કોરોના વાયરસની મહામારી વચ્ચે દેશભરમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે પ્રવાસી શ્રમિકોને પોતાના વતન તરફ મોકલવા માટે સરકાર દ્વારા શ્રમિક સ્પેશિયલ ટ્રેન દોડાવામાં આવી રહી છે. ગુજરાતના સુરત શહેરમાં એજન્ટો પ્રવાસી શ્રમિકો સાથે છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે. શહેરમાંથી ઉપડેલી ટ્રેનમાંથી બોગસ ટિકિટ સાથે મુસાફરો પકડાયાં છે.
સુરતમાંથી ઉપડેલી ટ્રેનમાંથી બોગસ ટિકિટ સાથે મુસાફરો પકડાયા
UP જવા માટે નિકળેલી ટ્રેનમાંથી બોગસ ટિકિટ પકડાઈ
ચેકરે તપાસ કરતા 20 બોગસ ટિકિટ મળી આવી
રાજ્યમાં એક તરફ કોરોનાને લઇને લોકડાઉન વચ્ચે કેન્દ્ર સરકાર દ્વારા પરપ્રાંતિય શ્રમિકોને લઇને સ્પેશિયલ ટ્રેન દોડાવામાં આવી રહી છે. ત્યારે સુરતમાં શ્રમિકો સાથે રેલવેની ટીકીટને લઇને છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે.
સુરતમાંથી શ્રમિકોને પોતાના વતન મોકલવા માટે ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે, ત્યારે શ્રમિકો સાથે હજુ પણ છેતરપિંડી થઈ રહી છે. શહેરમાંથી ઉપડેલી ટ્રેનમાંથી બોગસ ટિકિટ સાથે મુસાફરો પકડાયા છે. ઉત્તરપ્રદેશ જવા માટે નિકળેલી ટ્રેનમાંથી બોગસ ટિકિટ પકડાઈ છે.
શહેરથી ઉપડી રહેલી ટ્રેનમાં ટિકિટ ચેકરે તપાસ કરતા 20 જેટલી બોગસ ટિકિટ મળી આવી હતી. મળતી માહિતી મુજબ પાંડેસરાના એજન્ટ પાસેથી મુસાફરોએ ટિકિટ લીધી હતી. રૂપિયા આપ્યા બાદ એજન્ટ દ્વારા બોગસ ટિકિટ આપી હોવાનું સામે આવતા પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.
સળગતાં સવાલ
શ્રમિકો સાથે છેતરપિંડી કરનારા એજન્ટો કોણ છે?
મહામારી સમયે પણ કેમ માનવતા ભુલો છો?
એજન્ટરાજ પર બ્રેક ક્યારે?
શ્રમિકોને વતન મોકલવાનાના નામે મજાક કરનારાઓ કોણ ?
પાંડેસરાના એ એજન્ટ સામે કાર્યવાહી ક્યારે થશે?
વારંવાર આવી ઘટના બનવા છતા લોકો કેમ જાગૃત નથી થતા?
ટિકિટની કાળાબજારી કરતા એજન્ટો સામે તવાઈ કેમ નહીં?
શ્રમિકો છેતરાઈ રહ્યા છે અને રેલવે તંત્ર મૌન કેમ છે?