સુરતની રઘુવીર કોમ્પલેક્સમાં ફરી આગ લાગતા મોટું નુકસાન થયું છે. અહીં રઘુવીર કોમ્પલેક્સના બીજા માળે કુલિંગ કામગીરી દરમિયાન ફરી આગ ભભૂકી ઉઠી હતી. જો કે ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી આગ બૂઝાવી દીધી હતી.
સુરતની રઘુવીરર કોમ્પ્લેક્ષમાં આગનો મામલો
કૂલિંગની કામગીરી દરમ્યાન ફરી આગ ભભૂકી
ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી આગ બૂઝાવી
આગના કારણે બિલ્ડિંગના બીમ અને સ્ટ્રક્ચરને ભારે નુકસાન પહોંચ્યું છે. આગના કારણે રોડ પરની બિલ્ડિંગ દુકાનની દિવાલો પણ ધરાશાયી થઇ હતી. ગારમેન્ટસની દુકાનમાં સાડી,.ડ્રેસ મટિરિયલનો મોટો જથ્થો બળીને ખાક થઇ ગયો હતો.
સુરતની રઘુવીર માર્કેટમાં ગઇકાલે લાગેલી આગ પર આજરોજ સવારે 4 વાગે કાબૂ મેળવાયો હતો. 24 કલાક કરતા વધુ સમય બાદ 200 જેટલા ફાયરના જવાનો દ્વારા આગ પર કાબૂ મેળવાયો હતો.
ત્યારે ઘટનાસ્થળે કૂલિંગની કામગીરી કરવામાં આવી રહી હતી ત્યારે અચાનક ફરી બીજા માળે આગ ભભૂકી ઉઠી હતી જો કે ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે ઉપસ્થિત હોવાના કારણે આગર બુઝાવી દેવામાં આવી હતી. જો કે હજી પણ બિલ્ડિંગમાંથી ધૂમાડા નીકળી રહ્યાં છે.
મનપા કમિશ્નરે ઘટનાસ્થળની લીધી હતી મુલાકાત
સુરત શહેરના મનપા કમિશ્નરે ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. મનપા કમિશ્નરે બિલ્ડીંગને લઇને નિવેદન આપ્યું હતું કે બિલ્ડિંગનો પ્લાન રદ્દ કરાયો છે. બિલ્ડિંગનો પ્લાન રદ્દ થતાં હવે ડિમોલેશન કરાશે. 18 કલાકથી વધુ બિલ્ડિંગમાં આગ ચાલી હતી. વધુ હિટિંગને કારણે બિલ્ડીંગનો સ્ટ્રકચરલ રિપોર્ટ કરાશે.