સુરતના રઘુવીર માર્કેટમાં 20થી વધુ કલાક વિત્યા બાદ પણ મોડી રાતે 12 વાગ્યાની આસપાસ સુધી આગ પર કાબૂ મેળવાયો હતો. આગને કાબૂમાં લેવા માટે ફાયર વિભાગ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યા હતા. ફાયર વિભાગ દ્વારા અત્યાર સુધી આગને કાબૂમાં લેવા માટે કરોડો લીટર પાણીનો મારો ચલાવવામાં આવ્યો છે. ત્યારે હવે તાજેતરમાં પ્રાપ્ત થયેલ અહેવાલ મુજબ બિલ્ડિંગના 14 માળ બળીને ખાખ થઇ ગયા છે.
રઘુવીર માર્કેટની આગ મંગળવારે મોડી રાતે કાબૂમાં આવી
14 માળ બળીને ખાખ
કરોડો લીટર પાણીનો કરાયો મારો છતાં ન બૂઝાઇ આગ
ઉલ્લેખનીય છે કે, ડાયમંડ સીટી ગણાતા સુરતના રઘુવીર માર્કેટમાં સોમવારની મોડી રાત્રે લાગેલી આગ મંગળવારે મોડી રાતે 12 વાગ્યાની આસપાસ આગ કાબૂમાં આવી હતી.. સમય પસાર થતાની સાથે આગ વધુને વધુ વિકરાળ બની હતી. 14 માળનું બિલ્ડીંગ આગની ઝપેટમાં આવ્યું હતું.
આગ કાબૂમાં આવ્યા બાદ હવે બિલ્ડિંગને કૂલિંગ કરવાની પ્રોસેસ શરૂ કરવામાં આવી છે. આગ એટલી ભયાનક બની હતી કે લગભગ આખી બિલ્ડીંગ સળગી હતી.
આગ કેમ વિકરાળ બની?
વેંટીલેશનના અભાવે આગ વિકરાળ બની હતી. એલિવેશનના કારણે ફાયરની ટીમને ભારે જહેમત ઉઠાવી પડી રહી હતી. બાંધકામની મંજૂરી SUDA દ્વારા આપવામાં આવી હતી. એ.બી.વાઘણી રઘુવિર સિલિયમ માર્કેટના આર્કિટેક્ટ છે. રઘુવીર ડેવલોપર્સ દ્વારા માર્કેટ બનાવવામાં આવી છે.
કરોડો લીટર પાણીનો મારો છતાં બેકાબૂ આગ
ફાયર વિભાગ દ્વારા અત્યાર સુધી આગને કાબૂમાં લેવા માટે અંદાજે 4 કરોડ લીટર પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. ત્યારે હવે ફાયર વિભાગના જવાનોને બિલ્ડીંની અંદર મોકલીને કામગીરી કરવામાં આવી છે.
300 કરોડ થી વધુના નુકસાનનો અંદાજ
સમગ્ર બિલ્ડીંગમાં આગ પ્રસરતા 300 કરોડથી વધુનું નુકસાન થયાનો અંદાજ છે. અને NDRFની ટીમને સ્ટેન્ડબાય કરાઈ છે. વહેલી સવારથી અત્યાર સુધી 3 કરોડ લિટરના પાણી મારો કરાયો છે. પરંતુ હજુ સુધી આગ કાબુમાં આવી નથી.