સુરતના રઘુવીર માર્કેટમાં 12 કલાક વિત્યા બાદ પણ હજુ સુધી આગ પર કાબૂ મેળવી શકાયો નથી. આગને કાબૂમાં લેવા માટે ફાયર વિભાગ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ફાયર વિભાગ દ્વારા અત્યાર સુધી આગને કાબૂમાં લેવા માટે લાખો લીટર પાણીનો મારો ચલાવવામાં આવ્યો છે. ત્યારે હવે ફાયર વિભાગના જવાનોને બિલ્ડીંની અંદર મોકલીને કામગીરી કરવામાં આવી છે.
12 કલાક બાદ પણ આગ પર કાબુ મેળવી શકાયો નથી
અત્યાર સુધી લાખો લીટર પાણીનો મારો ચલાવાયો
બહારથી સતત પાણીનો મારો ચાલુ
ફાયરના જવાનોને બિલ્ડિંગમાં મોકલાયા
સુરતના રઘુવીર માર્કેટમાં મોડી રાત્રે લાગેલી આગ હજુ પણ બેકાબૂ છે. ત્યારે હવે માર્કેટની આગ વધુ વિકરાળ બની છે. છેલ્લા 12 કલાકથી રઘુવીર માર્કેટમાં આગ લાગેલી છે. 14 માળનું આખુ બિલ્ડીંગ આગની ઝપેટ છે. વેન્ટિલેશન ન હોવાના કારણે વરાળ બહાર નિકળી શકતી નથી. જેના કારણે દુકાનોમાં સતત બ્લાસ્ટ થઈ રહ્યા છે.
50થી વધુ જવાનોએ બિલ્ડિંગમાં શરૂ કરી કામગીરી
સુરતના રઘુવીર માર્કેટમાં આગ હજુ પણ વધુને વધુ જટીલ બની રહી છે ત્યારે હવે ફાયર વિભાગના 50 જવાનોને બિલ્ડિંગમાં ઉતારવામાં આવ્યા છે.
સુરતના રઘુવીર સિલિયમ માર્કેટમાં રાતે 3 વાગે ભીષણ આગ લાગી હતી જે ધીરે ધીરે વિકરાળ બની હતી5. 70થી વઝુ ફાયર વિભાગની ગાડીઓ, 4 હાઈડ્રોલિક ફાયર ફાઈટર અને 3 હાઈડ્રોલિક ફુવારાની મદદથી આગ બુઝાવવાની પ્રયાસો થઈ રહ્યા છે. ચોથા અને પાંચમા માળે હજુ પણ આગ ચાલુ છે. આ માર્કેટમાં 800થી વધુ દુકાનો આવેલી છે. અત્યાર સુધીમાં રૂા. 300 કરોડથી વધુનું નુકાસાન થઈ ચુક્યુ હોવાનો અંદાજ લગાવાઈ રહ્યો છે.
ફાયરની 70થી વધુ ગાડીઓની મદદ લેવાઈ છે. 2 બુમ બ્રાઉઝર, 4 હાઈડ્રોલિક ફાયર ફાઈટર વડે કામગીરી હાથધરાઈ છે. 3 હાઈડ્રોલિક ફૂવારાથી આગ બૂઝાવવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. 3 હાઇડ્રોલિક પ્લેટફોર્મ સહિત સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. લાખો લીટર પાણી આગને કાબૂમાં લેવા માટે વપરાયું છે.
સવારે લાગેલી આગની એક ઝલક જુઓ વીડિયોમાં
આગ કેમ વિકરાળ બની?
વેંટીલેશનના અભાવે આગ વિકરાળ બની છે. એલિવેશનના કારણે ફાયરની ટીમને ભારે જહેમત ઉઠાવી પડી રહી છે. બાંધકામની મંજૂરી SUDA દ્વારા આપવામાં આવી હતી. એ.બી.વાઘણી રઘુવિર સિલિયમ માર્કેટના આર્કિટેક્ટ છે. રઘુવીર ડેવલોપર્સ દ્વારા માર્કેટ બનાવવામાં આવી છે.
આગ મામલે અત્યાર સુધીનું અપડેટ
પરોઢીયે 3થી 3.30 વાગ્યાની આસપાસ આગ લાગી
4 વાગે ફાયરવિભાગની ટીમને જાણ કરવામાં આવી
4 વાગીને 5 મિનિટે ફાયરવિભાગની ટીમ પહોંચી
4 વાગીને 20 મિનિટે અન્ય ટીમને જાણ કરાઈ
6 વાગે બ્રિગેડ કોલ જાહેર કરાયો
6 વાગીને 10 મિનિટે અન્ય ટીમ પહોંચી
8 વાગે સુરત જિલ્લાના અધિકારીઓની ટીમ પહોંચી
10 વાગીને 30 મિનિટે કલેકટર ધવલ પટેલ પહોંચ્યા
11 વાગીને 30 મિનિટે બીજા અને ત્રીજા માળે ફરી આગ લાગી