રાજ્યમાં ઓછા વરસાદના કારણે માલધારીઓને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. રાજ્યમાં ઓછા વરસાદના કારણે ઘાસચારાની અછત સર્જાઈ છે. જેના કારણે માલધારીઓ સ્થાળાંતર કરવા માટે મજબૂર બન્યા છે.
માલધારીઓ પોતાના પરિવાર સાથે ગુજરાત છોડીને અન્ય રાજ્યમાં રહેવા માટે મજબૂર થયા છે. હાલમાં પશુપાલકો પાસે ઘાસ ચારો ન હોવાથી પશુઓની હાલત કફોડી બની છે અને પશુઓને પુરતો ઘાસચારો મળી રહે તે માટે માલધારીઓ સ્થાળાંતર કરી રહ્યા છે.
નોંધનીય છે કે આ વર્ષે ચોમાસાની સિઝનમાં રાજ્યના કેટલાક શહેરોમાં જોઇએ એટલો વરસાદ પડ્યો નથી. તેના લીધે ખેડૂતો તેમજ માલધારીઓએ હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે.