આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે છે. પ્રધાનમંત્રી ન્યૂ ઈન્ડિયા યુથ કોન્કલેવ નામથી સુરતના ઈન્ડોર સ્ટેડિયમમાં 15000થી વધુ પ્રોફેશનલ સાથે સંવાદ કરવાના છે. પ્રધાનમંત્રીના આ કાર્યક્રમ માટે મેડીસન સ્ક્વેર ગાર્ડનની થીમ પર રિવોલ્વિંગ સ્ટેજ (જયમાલા સ્ટૅજ પણ કહેવાય છે જે લગ્નમાં જયમાલા પહેરાવતી વખતે રિવોલ્વિંગ સ્ટેજ બનાવવામાં આવતું હોય છે) તૈયાર કરવામાં આવ્યું છે. આ સ્ટેજને ફરતો રાખવા માટેની મશીનરી સુરતના એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવી છે.
પ્રધાનમંત્રીના યુવાના સાથેના સંવાદમાં શહેરના ડોકટર્સ વકીલો ટેક્સ કન્સલ્ટન્ટ ટેકનોક્રેટ વગેરે ઉપસ્થિત રહેશે.જ્યારે આ ઉપરાંત સુરતમાં એરપોર્ટ ટર્મિનલ બિલ્ડિંગનું ખાતમૂર્હુત અને 1 હજાર કરોડના પ્રોજેક્ટસનું લોકાર્પણ કરશે તો નવસારીના ઐતિહાસિક દાંડીમાં 110 કરોડના ખર્ચે આકાર લઈ રહેલા ગાંધી નમક સોલ્ટ સત્યાગ્રહ મેમોરીયલ સ્મારકને આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે રાષ્ટ્રને અર્પણ કરવામાં આવશે. દાંડીકૂચમાં બાપુની 18 ફૂટની પંચ ધાતુની પ્રતિમા મુકવામાં આવી છે. દાંડીકૂચ દરમિયાન બાપૂ સાથે જોડાયેલા આઝાદીમાં જોડાયેલા 81 લડવૈયાઓની પ્રતિમા સાથે દાંડીકૂચને જીવંત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
કેવું હોય છે રિવોલ્વિંગ સ્ટૅજ
આ પ્રકારના રિવોલ્વિંગ સ્ટેજ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના અમેરિકાના પ્રવાસ દરમ્યાન ન્યૂ યોર્કમાં મૅડિસન સ્ક્વૅર ગાર્ડન ખાતે સંબોધન કર્યુ હતું. તે સમયે પીએમ મોદીએ અમેરિકામાં વસતા ભારતીયોને સંબોધન કર્યુ હતું.
સુરતમાં ઇન્ટરનેશલ ફ્લાઈટને ફ્લૅગઑફ
વડાપ્રધાન મોદી સુરતમાં આકાર પામનારા નવા એરપોર્ટ ટર્મિનલ બિલ્ડિગનું ખાતમુહૂર્ત કર્યું હતું તથા સુરત-શારજાહ ઈન્ટરનેશનલ ફ્લાઈટને ફ્લેગઓફ પણ આપ્યું હતું. આ સાથે એક દિવસીય મુલાકાતે સુરત પહોંચેલા વડાપ્રધાને મનપાના 1 હજાર કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું હતું. જેમાં સુરતની જનતા માટે બનાવાયેલ 3 બ્રિજનું પણ લોકાર્પણ કર્યું હતું. અહીં જનસાભાને સંબોધન કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે કર્મયોગી શહેર છે સુરત મીઠાંના સત્યાગ્રહ સાથે સુરતનો સબંધ રહેલો છે. સફાઈ સહિતના કામ સાથે સંકળાયેલ કેસરિયા ગેંગને મોદી એ યાદ કરી હતી. આ સાથે જ સુરતે ગાંધીજીના મુલ્યને હમેશા સન્માન આપ્યું હોવાની પણ વાત કરી હતી. ભવિષ્યમાં ટોપ 10 શહેરોમાં સુરત નંબર વન પર હશે તેવી વાત પણ દેશના વડાપ્રધાને પોતાના વક્તવ્યમાં ઉચ્ચારી હતી.
વિનસ હોસ્પિટલનું કર્યું ઉદ્ધાટન
સુરત ખાતે આકાર પામેલી વિનસ હોસ્પિટલનું ઉદ્યાટન નરેન્દ્ર મોદીએ કર્યું હતુ. આ સાથે જ તેમણે સમગ્ર હોસ્પિટલની મુલાકાત પણ લીધી હતી. વિનસ હોસ્પિટલના ઉદ્ધાટન બાદ PM મોદીએ એક સભાને સંબોધન પણ કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે પીએમ મોદીએ આજના પોતાના એક દિવસના ગુજરાતના પ્રવાસ દરમ્યાન સુરત બાદ દાંડીમાં 110 કરોડના રાષ્ટ્રી નમક સત્યાગ્રહ સ્મારકનું પણ ઉદ્ઘાટન કર્યુ હતું. અને ત્યાર બાદ ત્યાંથી સુરત પરત આવીને પોતાનું સંબોધન કરશે અને મોડી સાંજે દિલ્હી જવા રવાના થશે.