વ્યાજખોરોના ત્રાસને લઇ સુરત પોલીસની તવાઇ; પાંડેસરા પોલીસ સ્ટેશનમાં 11 ગુના અને ખટોદરા પોલીસ સ્ટેશનમાં 3 ગુના નોંધાયા, 12ની કરી ધરપકડ
સુરત પોલીસ એકેશન મોડમાં
વ્યાજખોરોના ત્રાસને લઇ સુરત પોલીસની તવાઇ
સુરત પોલીસે 12 વ્યાજખોરોની કરી ધરપકડ
સુરત પોલીસ કમિશનર અજય તોમરે આજે પત્રકાર પરિષદ યોજી છે. તેમણે વ્યાજખોરોના ત્રાસને લઇ સુરત પોલીસની તવાઇ અંગની માહિતી આપી હતી. સુરત પોલીસે 12 વ્યાજખોરોની ધરપકડ કરી છે.
સુરત પોલીસ કમિશનર અજય તોમરનું નિવેદન
સુરત પોલીસ કમિશનર અજય તોમરે પત્રકાર પરિષદ યોજી છે તેમણે જણાવ્યું કે, સુરત પોલીસે 12 વ્યાજખોરોની ધરપકડ કરી છે. પાંડેસરા 11 ગુના જ્યારે ખટોદરા 3 ગુના દાખલ કરવામાં આવ્યા છે તેમણે કહ્યું કે, ગૌતમ પટેલ નામના વ્યાજખોરને વોન્ટેડ જાહેર કર્યો છે ગૌતમ પટેલે 2 લાખ વ્યાજે આપ્યા હતા અને વ્યાજ સામે 4.50 લાખ વસુલયા હતા. તેમણે કહ્યું કે, સાથે -સાથે 12 લાખના પ્લોટની ફાઇલ પણ કબજે કરી હતી. તમને જણાવી દઈએ કે, ગૌતમ પટેલ આપ પાર્ટી નેતા પણ છે
સુરત પોલીસે 12 વ્યાજખોરોની કરી ધરપકડ
તેમણે આ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, ગરેકાયદે વ્યાજખોર સામે કાર્યવાહી કરવામાં આવી છે, શહેરના વિવિધ વિસ્તારમાં ઝુબેશના આધારે ગરેકાયદે નાંણા આપતા વ્યાજખોરોને ઝડપી પાડ્યા છે તેમણે કહ્યું કે, પાંડેસરા પોલીસ સ્ટેશનમાં 11 ગુના અને ખટોદરા પોલીસ સ્ટેશનમાં 3 ગુના નોંધવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, અત્યારે કુલ 112આરોપીઓની ધરપકડ થઈ છે તેમજ અન્ય આરોપીઓની શોધખોળ અને પૂછપરછ ચાલુ છે અને આ તમામ આરોપીઓ દ્વારા ખૂબ ઉચું વ્યાજ વસુલવામાં આવેલું છે જેમાં સાત અને દશ ટકાથી ઉંચુ વ્યાજ વસુલવામાં આવેલું છે. તેમણે કહ્યું કે, આ તમામ 14 કેસમાં કોઈપણ પ્રકારના નાંણા વ્યાજે આપવાની રજીસ્ટ્રેશન કરાવેલ નથી.