સુરત શહેરમાં ગઇકાલે વરાછા પોલીસ સ્ટેશનમાં લૂંટના આરોપીએ આપઘાત કર્યાનો મામલો સામે આવ્યો હતો. આરોપીએ ગળેફાંસો લગાવી આપઘાત કર્યો હતો. જો કે હવે પોલીસ સ્ટેશનમાં આરોપીના આપઘાત મામલે પરિવારજનો દ્વારા મૃતદેહ સ્વીકારનો ઇન્કાર કર્યો છે.
સુરતમાં પોલીસ સ્ટેશનમાં આરોપીનો આપઘાત મામલો
પરિવારજનો દ્વારા મૃતદેહ સ્વીકારવા ઈનકાર
ન્યાય ન મળે ત્યા સુધી મૃતદેહ સ્વીકારવા ઈન્કાર
શહેરના વરાછા પોલીસ સ્ટેશનમાં આરોપીના આપઘાતના મામલે પરિવારજનો દ્વારા મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કરવામાં આવ્યો છે. પરિવારજનોએ જણાવ્યું છે કે ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારનો ઇન્કાર કર્યો હતો.
પરિવારજનોએ આપઘાત પ્રકરણમાં પોલીસની સામે આશંકા હોવાનો આક્ષેપ કર્યો છે. પરિવારજનોએ પોલીસના મારના કારણે આપઘાત કર્યો હોવાનો આક્ષેપ લગાવ્યો છે.
આરોપી દ્વારા પોલીસ સ્ટેશનમાં આપઘાત મામલે પરિવારજનોએ પોલીસની સામે આશંકા વ્યક્ત કરી છે. જ્યારે દુષ્પ્રેરણાના ગુનો દાખલ કરવા પરિવાર જનોએ માગ કરી છે.
ઉલ્લેખનીય છે કે સુરતના વરાછા પોલીસ સ્ટેશનમાં લૂંટના આરોપીએ ગઇકાલે આપઘાત કર્યો હતો. આ આરોપી અનેક ગુનાઓમાં સંડોવાયેલો હતો. આ આરોપી લોકઅપમાં ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો.