સુરતમાં કરંટ લાગતા એક કામદારનું મોત નિપજ્યું છે. પાંડેસરામાં આવેલા હરિઓમ ઇન્ડસ્ટ્રીઝમાં લુમ્સના કારખાનામાં કામ કરતા કામદારને કરંટ લાગતા તેમનું મોત નિપજ્યું. જેને લઇ અન્ય કામદારો રોષે ભરાયા હતા.
પાંડેસરા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. ત્યારે મજૂર સંઘે વિરોધ પ્રદર્શન કર્યું અને માગ કરી છે કે, મૃતકના પરિવારજનને 10 લાખની સહાય કરવામાં આવે આ દરમિયાન પોલીસ પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો.
જેને લઇને પોલીસે ટોળું વિખેરવા માટે ટીયરગેસના સેલ છોડ્યા હતા. મજૂર સંઘે કહ્યું કે, જ્યાં સુધી વળતર નહીં મળે ત્યાં સુધી મૃતદેહને સ્વીકારવામાં નહીં આવે. આમ હાલ આ મામલે પોલીસે કેટલાક તોફાની તત્વોની અટકાયત કરી છે.
સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ હરિઓમ ઇન્ડસ્ટ્રીઝના લુમ્સના કારખાનામાં કામદારને કરંટ લાગતા મોત નિપજ્યું હતું. જો કે મજૂરના મોત બાદ અન્ય કામદારો રોષે ભરાયાં હતા અને કંપનીની બહાર હોબાળો કર્યો હતો.
જોકે પોલીસને જાણ થતાં ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. જેમાં ટોળાને વિખરેવા માટે ટીયરગેસના સેલ પણ છોડ્યા હતા. જો કે પોલીસ દ્વારા હલકો લાઠીચાર્જ પણ કરવામાં આવ્યો. જો કે કંપનીની બહાર થયેલા હોબાળાને લઇને પોલીસે કેટલાક તોફાની તત્વોની અટકાયત કરી છે.
જો કે કામદારના મોતને લઇને મજૂર સંઘે જણાવ્યું છે કે જ્યાં સુધી મૃતકના પરિવારજનોને વળતર નહીં આપવામાં આવે ત્યાં સુધી મૃતદેહને સ્વીકારવામાં આવશે નહીં. પોલીસે સુરક્ષાને ધ્યાનમાં લઇને કંપનીની આસપાસની દુકાનો પણ બંધ કરાવી છે. કામદારોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો.