કોરોના સંકટ / સુરતમાં અમદાવાદ જેવું ન થાય તેનું આપણે ધ્યાન રાખવાનું છે, વધુમાં વધુ ટેસ્ટ કરાવો : શહેર પોલીસ કમિશ્નર

Surat Police Commissioner Ajay Tomar press conference coronavirus

ગુજરાતમાં કોરોનાના કેસનો સતત વધારો થઇ રહ્યો છે. અમદાવાદમાં 2 દિવસ સંપૂર્ણ કરફ્યુ અને ત્યારબાદ રાત્રિ કરફ્યુનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે સુરતમાં પણ કોરોનાના કેસ વધતા બેઠકોનો દોર શરૂ થયો છે. સુરત પોલીસ કમિશનર અને સુરત મહાનગરપાલિક કમિશનર વચ્ચે બેઠક યોજાઇ હતી. આ દરમિયાન કોરોનાના કેસ અંગે સમિક્ષા કરવામાં આવી હતી. સુરત પોલીસ કમિશનર અજય તોમરે ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓ સાથે પણ બેઠક યોજી હતી. આ બેઠક બાદ તેમણે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ