સુરતના ખટોદરા પોલીસ સ્ટેશનમાં ચોરીના ત્રણ આરોપીઓની પુછપરછ દરમિયાન એકને પોલીસે ઢોર માર મારતાં બ્રેઈન હેમરેજ થઈ ગયું હતું. કાયદાના સંરક્ષકો દ્વારા જ કાયદો હાથમાં લઈને ગંભીર રીતે આરોપીને માર માર્યા બાદ પોલીસે ગુનો નોંધતાં પીઆઈ, પીએસઆઈ સહિતના સાત ખાખી ખાખીધારી દાદાઓ ફરાર થઈ ગયા હતાં. જોકે પોલીસ પાર આરોપીને મારમારવાનો અને પોલીસ સાથે ઝપાઝપી બે ગુણ નોંધી તપાસ શરુ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, ખટોદરા પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીના ત્રણ શકમંદ આરોપી પૈકી એક આરોપીને પોલીસે ઢોર માર મારતા તેને ગંભીર ઈજાઓ થઈ હતી. જેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ ગંભીર ઘટના બનતા મોડીરાતે ડીસીપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ખટોદરા પોલીસ સ્ટેશનમાં દોડી આવ્યા હતા.
ઘટનાના પગલે પોલીસે ખટોદરા પોલીસ સ્ટેશનના પીઆઈ એમ.બી ખિલેરી, પીએસઆઈ સહિત આછ અધિકારી સામે ગુનો નોંધવાની પ્રક્રિયા હાથ ધરી હતી. આ દરમિયાન પીઆઈ ખિલેરી સહિત આઠેય પોલીસકર્મીઓ પોલીસની સામે જ ફરાર થઈ ગયા હતા. તમામને ઝડપી લેવા માટે તેમના ઘરે પણ પોલીસ જઈ આવી છે અને તેમના મોબાઈલના લોકેશનના આધારે તપાસ ચાલી રહી છે.
પીઆઈ ખીલ્લેરી, પીએસઆઈ સહિત ડી સ્ટાફના હરેશભાઈ, કનકસિંહ,પરેશભાઈ, આશિષ,કલ્પેશભાઈ,દિલુભાઈ સહિતનાના આરોપીઓના નામ સરનામા પુરા ન હોય તે રીતે માત્ર પ્રથમ નામ જ લખવામાં આવ્યાં છે. સામાન્ય માણસોના મૂળ વતન સહિતની વિગતો લખતી પોલીસ પાસે પોતાના જ પોલીસ કર્મીઓનો ગુનાહિત ભૂતકાળ પણ નથી કે અગાઉ આ પોલીસ કર્મીઓ સામે કેવા ગુના નોંધાયા તે સહિતની વિગતો ન હોવાની લાચારી એસીપી પ્રેસ કોન્ફરન્સમાં દર્શાવતા નજરે પડ્યાં હતાં. પીઆઈ વિરુધ્ધ અગાઉ અમદાવાદમાં પણ ગુનો નોંધાયો હતો જો કે આ અંગે એસીપીએ તપાસ ચાલુ હોવાની અને માહિતી મેળવાઈ રહ્યાનું રટણ ચલાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, સુરતના ખટોદરા પોલીસ મથકે ઓમ પ્રકાશ પાંડે નામના શખ્સને ચોરીના કેસમાં પકડીને લાવવામાં આવ્યો હતો. પોલીસના સર્વેલન્સ સ્ટાફ દ્વારા આ આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી હતી. જે દરમિયાન આરોપી ઓમપ્રકાશ અચાનક બેભાન થઇ ગયો હતો. જેથી તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો. જ્યાં તેને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. જોકે તેની સ્થિતિ વધુ ગંભીર બનતા આઇસીયુમાં ખસેડવો પડે તેમ હતો, પરંતુ સિવિલમાં વેન્ટિલેટરની સુવિધા ન હોવાના કારણે આરોપીની ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો છે.
આ સમગ્ર મામલો પોલીસ દ્વારા દબાવમાં આવી રહીયો હતો જોકે ગઇકાલે સાંજો હોબાળો થતાં આ કેસની તપાસ ડીસીપી વીધી ચૌધરીને સોંપવામાં આવી હતી. તપાસ અર્થે તેઓ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા, જ્યાં સ્ટેશનની હાલત જોઇને તેમણે અન્ય ત્રણ આરોપીઓની પૂછપરછ કરી હતી. જેમાં આરોપીઓએ જણાવ્યું હતું કે અમને ખૂબ માર મારવામાં આવ્યો હતો, પરંતુ અમે એ પોલીસ કર્મીઓને ઓળખતા નથી. તેથી ઓળખ પરેડ કરાવવામાં આવી હતી. જેમાં પીઆઇ, પીએસઆઇ સહિત છ કર્મીઓને આરોપીઓએ ઓળખી પાડ્યાં હતા.
જેથી વીધી ચૌધરીએ સીપીને રજૂઆત કરી હતી અને ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. તેજ સમયે આ 7 પોલીસ કર્મચારી પોલીસ સ્ટેશનમાં ફરજ પર હાજાર હતા તે પોલીસ કર્મ ચારી સાથે હાથા પાઇ કરી ને પોલીસ કર્મચારી ને ઇજા કરી આ તમામ ત્યાંથી ફરાર થઇ ગયા હતા જેને પગલે આ તમામ 7 પોલીસ કર્મચારી વિરુદ્ધ બે ગુણ દાખલ કરી પોલીસે તેમને પકડી પાડવા અલગ અલગ ટિમ બનાવી ને તપાસ તેજ કરી છે
જોકે આ ઘટના સુરત પોલીસ માથે મોટો ડાંગ લગાવે તેવી ઘટના છે કારણકે આરોપી ને મારવા સાથે પોતાના પોલીસ કર્મચારી સાથે મારામારી પણ કરી છે તેવામાં પોલીસની કામગીરી પર સવાલ ઉભા થવા પામ્યા છે કે પોલીસ આરોપી હતી તો કેવી રીતે તે ભાગી ગઈ કે અથવા ભગાડી મુકવામાં આવી જોકે આ ઘટના બાદ સુરત પોલીસ માં ભારે ચર્ચા ઉભી થઇ છે અને અધિકારી આ મામલે કઈ પણ કહેવા ત્યાર નથી જોવાનું એ રહીયુ કે આ પોલીસ જે ખરે ખાર આરોપી છે તેને પકડવામાં સુરત પોલીસ ને કેટલી સફળતા મળે છે અને તે પણ ક્યારે..?