સુરતમાં ભાજપ કાર્યાલય સામે વિરોધ પ્રદર્શન દરમિયાન BJP-AAP કાર્યકરો સામ સામે આવી જતાં ઘર્ષણ થયું હતું
સુરતમાં BJP કાર્યાલય પર AAP કાર્યકર્તાની બબાલનો મામલો
પોલીસે AAP પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાની કરી ધરપકડ
ઉધના પોલીસે કુલ AAPના 16 આગેવાનોની ધરપકડ કરી
સુરતમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોને મારમારવાના મામલે રાજકારણ ગરમાયું છે.આમ આદમી પાર્ટી દ્વારા રાજ્યમાં અલગ અલગ જગ્યાએ ભાજપના કાર્યાલય ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.જો કે અમદાવાદના ખાનપુરમાં ભાજપ કાર્યલય ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકરો વિરોધ કરે તે પહેલા જ અટકાયત કરવામાં આવી હતી. તો સુરતમાં AAPના કાર્યકરોએ ઉધના BJP કાર્યાલયનો ઘેરાવ કર્યો હતો જે દરમિયાન ભાજપ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું.પોલીસે ઘટના સ્થળે પહોંચી AAPના કાર્યકરોની અટકાયત કરી હતી.
AAP પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા સહિત 16 આગેવાનોની ધરપકડ
તો આ તરફ સોમવારની મોડી સાંજે સુરતમાં BJP કાર્યાલય પર AAP કાર્યકર્તાની બબાલ મામલે પોલીસે AAP પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાની ધરપકડ કરી છે.પોલીસે AAPના આગેવાનો સામે રાયોટિંગનો ગુનો દાખલ કર્યો છે. જેમાં ઉધના પોલીસે કુલ AAPના 16 આગેવાનોની ધરપકડ કરતા માહોલ વધુ બીચક્યો છે. આપ આરોપ લગાવી રહી છે કે અગાઉ AAP કાર્યકર્તાઓને માર મારવાનો વીડિયો વાયરલ થયો હતો પણ પોલીસે ભાજપ સામે હજુ સુધી કોઈ કાર્યવાહી કરી નથી.
કચ્છ, વડોદરા,અમદાવાદમાં પણ AAP કાર્યકરોએ કર્યો વિરોધ
બીજી તરફ કચ્છમાં પણ ભાજપ કાર્યાલય પર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું.ભાજપ વિરોધી સૂત્રોચ્ચારના કારણે ભાજપ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ સર્જીયું હતું.વડોદરમાં પણ આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.આથી પોલીસે આંમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની અટકાયત કરી હતી.આપને જણાવી દઈએ કે, ભાજપના નેતાઓના ઇશારે સુરત આમ આદમી પાર્ટીના કોપોઁરેટર્સ પર દમન કરવામાં આવ્યું હોવાનો આમ આદમી પાર્ટી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.
AAPના કોર્પોરેટરો પર જીવલેણ હુમલો કરાયો : ઈસુદાન ગઢવી
સુરતમાં AAPના કોર્પોરેટરને મારમારવાનો મામલે AAP નેતા ઈસુદાન ગઢવીએ ભાજપ પર પ્રહાર કર્યા છે. ગઢવીએ કહ્યું છે કે ગુજરાતમાં UP, પ.બંગાળ અને બિહાર જેવી સ્થિતિ પેદા થઈ છે. સુરતમાં AAPના કોર્પોરેટર અને પોલીસની મારામારીની ઘટનાને વખોડી જણાવ્યું કે AAPના કોર્પોરેટરો પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો. આરોપીઓ સામે પોલીસ 307, 120 B અંતર્ગત કાર્યવાહી તંત્ર કરે. સમગ્ર મામલે DGP સમક્ષ તટસ્થ તપાસની માગ પણ કરી હોવાની વાત મીડિયા સમક્ષ મૂકી હતી.