સુરત: દેશના વડાપ્રધાન છેલ્લા પંદર દિવસમાં આજરોજ ફરીએકવાર ગુજરાતની મુલાકાતે આવ્યા છે. ડાયમંડ નગરી ગણાતી સુરત નગરીમાં PM મોદીનું આગમન થતાં રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી સહિત પક્ષના દિગ્ગજ નેતાઓએ સ્વાગત કર્યું હતું.
PM Modi in Surat:Mujhe mat poochna ki Rs 40-50 ka bulb Rs 350 mein bikta tha toh beech wale paise kahan jate the mujhe mat poochna uska jawab Rajiv Gandhi dekar gaye the Re 1 jata tha toh 25 paisa pahunch'ta tha baaki ka 85 paisa konsa panja khata tha vo saari duniya janti hai pic.twitter.com/SWd8y28GYz
ત્યારબાદ વડાપ્રધાન મોદી સુરતમાં આકાર પામનારા નવા એરપોર્ટ ટર્મિનલ બિલ્ડિગનું ખાતમુહૂર્ત કર્યું હતું તથા સુરત-શારજાહ ઈન્ટરનેશનલ ફ્લાઈટને ફ્લેગઓફ પણ આપ્યું હતું. આ સાથે એક દિવસીય મુલાકાતે સુરત પહોંચેલા વડાપ્રધાને મનપાના 1 હજાર કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું હતું. જેમાં સુરતની જનતા માટે બનાવાયેલ 3 બ્રિજનું પણ લોકાર્પણ કર્યું હતું.
આ સાથે જ એક જનસાભાને સંબોધન કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે કર્મયોગી શહેર છે સુરત મીઠાંના સત્યાગ્રહ સાથે સુરતનો સબંધ રહેલો છે. સફાઈ સહિતના કામ સાથે સંકળાયેલ કેસરિયા ગેંગને મોદી એ યાદ કરી હતી. આ સાથે જ સુરતે ગાંધીજીના મુલ્યને હમેશા સન્માન આપ્યું હોવાની પણ વાત કરી હતી. ભવિષ્યમાં ટોપ 10 શહેરોમાં સુરત નંબર વન પર હશે તેવી વાત પણ દેશના વડાપ્રધાને પોતાના વક્તવ્યમાં ઉચ્ચારી હતી.
વિનસ હોસ્પિટલનું કર્યું ઉદ્ધાટન
સુરત ખાતે આકાર પામેલી વિનસ હોસ્પિટલનું ઉદ્યાટન નરેન્દ્ર મોદીએ કર્યું હતુ. આ સાથે જ તેમણે સમગ્ર હોસ્પિટલની મુલાકાત પણ લીધી હતી. વિનસ હોસ્પિટલના ઉદ્ધાટન બાદ PM મોદીએ એક સભાને સંબોધન પણ કર્યું હતું.
દાંડી સ્મારકનું લોકાર્પણ
એક દિવસની મુલાકાતે આવેલા PM મોદીએ સુરત ખાતે મહાનગરપાલિકા દ્વારા કરાયેલ 1 હજાર કરોડના કાર્યોનું લોકાર્પણ કર્યું હતું. ત્યારબાદ વિનસ હોસ્પિટલનું પણ ઉદ્ઘાટન કરીને એક સભાને સંબોધન કર્યું હતું. ત્યારબાદ વડાપ્રધાન નવસારી જવા રવાના થયાં હતાં. જ્યાં તેઓ દાંડી સ્મારકનું લોકાર્પણ કરવાના છે.