સુરત જિલ્લા અને શહેરમાં વારંવાર આગ લાગવાના બનાવ સામે આવે છે ત્યારે શંકા થાય છે કે આગ તેની જાતે લાગે છે કે પછી કોઇ કારણો સર.....? કારણ કે ઘણી વખત કોઇ જાનહાનિના અહેવાલ નથી મળતાં પરંતુ કરોડો રૂપિયાનો માલ-સામાન કે પછી જરૂરી દસ્તાવેજો બળીને ખાખ થઇ જતાં હોય છે. ત્યારે સુરતના બારડોલીના નીણત ખાતે આવેલી એક પ્લાયવુડ બનાવતી કંપનીમાં આગનો બનાવ સામે આવ્યો છે.
સુરતના બારડોલીના નીણત ગામે લાગી આગ
હાઈટેક નામની પ્લાયવુડ બનાવતી કંપનીમાં લાગી આગ
6 મહિનામાં 7 મી વખત લાગી આગ
સુરતના બારડોલીના નીણત ગામે મોડી રાત્રે બગાસના જથ્થામાં આગ લગાવાની ઘટના બની છે. હાઈટેક નામની પ્લાયવુડ બનાવતી કંપનીમાં આગ લાગત અફરા-તફરીનો માહોલ છવાયો હતો.
છેલ્લા 6 મહિનામાં 7મી વખત આગ લાગી હોવાનુ સામે આવ્યું છે. અગાઉ આગની ઘટનામાં 3 કામદારો દાજયા હતા. આ ઘટનાની જાણ ફાયર વિભાગને થતા ફાયર વિભાગની 4 ટીમો ઘટના સ્થળે પહોંચીને આગપર કાબૂ મેળવ્યો છે.
ઉલ્લેખનીય છે કે સુરત મનપા દ્વારા રઘુવીર સેલિયમ માર્કેટમાં આગના મામલે મનપા દ્વારા આગ બુઝાવવાની કામગીરીનું 66 લાખનું બિલ ફટકારવમાં આવ્યું છે. મનપાની બહારની કામગીરી હોવાથી બિલ ફટકારાયું છે. સતત 50 કલાક સુધી આગ ઓલવવાની કામગીરી હાથ ધરાઇ હતી.
આ અગાઉ સુરત મનપા રઘુવીર માર્કેટમાં આગ બાદ હરકતમાં જોવા મળી રહ્યું છે. હાલમાં તંત્ર દ્વારા સાંકડી ગલીઓવાળી માર્કેટ સામે લાલ આંખ કરી જણાવાયું હતું કે જો ફાયર ટેન્કર જવાની વ્યવસ્થા નહી થાય તો કડક કાર્યવાહી કરવામાં આવશે. બીજી તરફ સતત આગની ઘટનાઓને પગલે રિંગ રોડ મનપા દ્વારા મેગા ડિમોલેશન કરાય તેવી શક્યતા પણ જોવા મળી રહી છે.