સુરત જિલ્લાના માંડવીના ખંજરોલી ગામના પાટીદાર આગેવાન ક્વોરી માલિક દુર્લભભાઇ પટેલે પોતાની જ ક્વોરીમાં આપઘાત કર્યો હતો. ત્યારથી અત્યાર સુધીમાં આ કેસની તપાસને લઇને અન્ય કારણોસર શહેરમાં સૌથી વધુ ચર્ચાનો વિષય રહ્યો છે. ત્યારે આ કેસના લઇને કેટલાક પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરાયાં છે જ્યારે રાંદેર પોલીસ મથકના પીઆઇ સહિત અન્ય પોલીસકર્મી સહિત 11 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. ત્યારે હવે રાજ્ય સરકાર દ્વારા આ કેસની તપાસ સુરત જિલ્લા પોલીસ નહીં કરે તેવો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
સુરત દુર્લભ પટેલ આપઘાત કેસની તપાસમાં નવો વળાંક
રાજ્ય સરકારે મોડી રાત્રે લીધો મોટો નિર્ણય
આપઘાત કેસની તપાસ સુરત જિલ્લા પોલીસ કરશે નહીં
સુરત જિલ્લાના માંડવીના ખંજરોલી ગામના પાટીદાર આગેવાન ક્વોરી માલિક દુર્લભભાઇ પટેલના આપઘાત કેસમાં મોડી રાત્રે રાજ્ય સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આ આપઘાત કેસની તપાસ સુરત જિલ્લા પોલીસ પાસેથી પાછી ખેંચી લેવામાં આવી છે.
સૂત્રોને મળતી માહિતી મુજબ દુર્લભ પટેલના આપઘાતની કેસ પોલીસ કમિશનરને સોંપવામાં આવી છે. રેન્જ IG રાજકુમાર પાંડિયએ SITની રચના કરી હતી. આપઘાત કેસમાં અત્યાર સુધીમાં 7 આરોપીઓની ધરપકડ થઇ ચૂકી છે.
સુરત શહેરના પાટીદાર આગેવાન અને ક્વોરી માલિક દુર્લભભાઇએ પોતાની જમીનને લઇને માનસિક તણાવમાં આવી જતા માંડવી પોલીસની હદમાં આપઘાત કર્યો હતો.
આ 11 લોકો સામે નોંધાયો ગુનો
લક્ષ્મણસિંહ બોડાણા (PI),
કિરણસિંહ (રાઈટર),
રાજુભાઈ લાખાભાઈ ભરવાડ (લસકાણા),
હેતલ દેસાઈ (વેસુ),
ભાવેશ કરમસિંહ સવાણી (કતારગામ),
કનૈયાલાલ નરોલા (કતારગામ),
કિશોર ભુરાભાઈ કોશિયા (અઠવા),
વિજય શિંદે,
મુકેશ કુલકર્ણી,
અજય બોપાલા,
રાંદેર પોલીસનો અન્ય સ્ટાફ
શું છે દુર્લભ પટેલ આપઘાત કેસ?
સુરતના માંડવીના ખંજરોલી ગામમાં ક્વોરીમાંથી દુર્લભ પટેલનો મળ્યો હતો મૃતદેહ
સ્થાનિક તરવૈયા, ફાયર બ્રિગેડે દુર્લભ પટેલનો મૃતદેહ બહાર કાઢ્યો હતો
ઓફિસમાં તપાસ દરમિયાન દુર્લભ પટેલનો પત્ર મળ્યો હતો
અડાજણની જમીન ડીલમાં રાંદેર પોલીસ સ્ટેશનના PIનો કર્યો હતો ઉલ્લેખ
PI અને પોલીસ સ્ટાફના માણસો, ભૂમાફિયા ધમકી આપતા હોવાનો આરોપ
માંડવી પોલીસે PI સહિત 11 વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો હતો
દુર્લભ પટેલ જલારામ સ્ટોન ક્વોરીના માલિક હતા
દુર્લભ પટેલની જમીનનો સોદો 24.03 કરોડમાં થયો હતો
સ્ટાર ગ્રુપના માલિક કિશોર કોસીયા સાથે સોદો થયો હતો
વર્ષ 2014માં દુર્લભ પટેલે સોદો કર્યો હતો
ડીલ પ્રમાણે 18 કરોડ રોકડા અને 3.09 કરોડના ચેક આપવામાં આવ્યા હતા
કિશોર કોસીયાને ત્યાં ઈન્કમટેક્સના દરોડા પડ્યા હતા
દુર્લભ પટેલની જમીન ડીલ અંગે ઈન્કમટેક્સને જાણ થઈ હતી
ઈન્કમટેક્સે દુર્લભ પટેલને 8.49 કરોડ ચૂકવવા નોટિસ આપી હતી
કિશોર કોસીયાની ખોટી માહિતીના કારણે દુર્લભ પટેલને રૂપિયા ભરવાના થતા વિવાદ થયો
કિશોરભાઈએ જે તે સમયે પૈસા ભરવા કબૂલાત આપી હતી
ફેબ્રુઆરી 2019માં રાંદેરના PI લક્ષ્ણસિંહ બોડાણાએ દુર્લભ પટેલને બોલાવી ધમકી આપી હતી
રાજુ લાખા ભરવાડ, હેતલ નટવર દેસાઈએ પણ આપી હતી ધમકી
ભાવેશ કમરશી સવાણી પણ તે સમયે ત્યાં આવ્યા હતા
રાતોરાત દુર્લભ પટેલને ધમકાવી લખાણ કરાવી લીધું હતું
4 ફેબ્રુઆરી, 2020ના રોજ ફરી દુર્લભભાઈના ઘરે 4 પોલીસકર્મી આવ્યા હતા
દુર્લભ પટેલના દીકરાએ સુરત પોલીસ કમિશનરને ફરિયાદ કરી હતી