સુરતમાં લોકોની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચે તેવી ઘટના બની છે જેમાં શૌચાલય પર ભગવાનનું ચિત્ર દોરી નાખવામાં આવ્યું હતું જેના પરિણામે વિરોધ નોંધાયો હતો.
સુરતમાં શૌચાલય પર દોરાયું ભગવાનનું ચિત્ર
મનપાનાં શૌચાલય પર ભગવાન ગણેશજીનું ચિત્ર
VHP અને બજરંગ દળનો વિરોધ
મહાનગરપાલિકા દ્વારા ગણપતિનું ચિત્ર બનાવવામાં આવતા ધાર્મિક લાગણી દુભાઈ છે. હિન્દુ સંગઠન દ્વારા આ મામલે વિરોધ નોંધાવવામાં આવ્યો છે.
આ ઘટનાનો હિન્દુ સંગઠનો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને સુરત મહાનગરપાલિકા સામે ચીમકી ઉચ્ચારવામાં આવી હતી કે, સુરતમાં જો કોઈ પણ જગ્યા પર આ પ્રકારે હિન્દુ દેવી દેવતાનું ચિત્ર દોરવામાં આવ્યું હોય તો તેને મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક હટાવી લેવામાં આવે નહીં તો હિન્દુ સંગઠનો દ્વારા આ મામલે વિરોધ કરવામાં આવશે એવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.
VHP અને બજરંગ દળનો વિરોધ
હિન્દુ સંગઠનોના આગેવાનો દ્વારા સુરત મહાનગરપાલિકા સામે ચીમકી ઉચ્ચારવામાં આવી હતી કે, હિન્દુ દેવી-દેવતાઓનું આ પ્રકારે અપમાન ક્યારે પણ ચલાવી લેવામાં આવશે નહીં. બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ કાપોદ્રા ચાર રસ્તા પાસે એકઠા થયા હતા અને તેમને બોમ્બે કોલોની શૌચાલયની દિવાલ ઉપર ગણપતિનું ચિત્ર દોરવામાં આવ્યું હતું તેના પર સફેદ કલરનો રંગ કરીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. જો સુરતમાં હજુ કોઈ પણ જગ્યા પર આ પ્રકારે હિન્દુ દેવી-દેવતાઓના ચિત્રો દોરવામાં આવ્યા હોય તો તેને હટાવી લેવામાં આવે નહીં તો હિન્દુ સંગઠનો દ્વારા શહેરમાં અલગ-અલગ જગ્યાઓ પર વિરોધ કરવામાં આવશે.
કાપોદ્રા ચાર રસ્તા પર હિન્દુ સંગઠનોના વિરોધને લઈને ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. તો બીજી તરફ ઘટનાની જાણ થતાં કાપોદ્રા પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ પણ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા.
Vishwa Hindu Parishad નું નિવેદન
આ અંગે વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય (Surat Vishwa Hindu Parishad )ખજાનચી દિનેશ નાવડીયાએ જણાવ્યું હતું કે, સુરત મહાનગરપાલિકાના વહીવટીતંત્ર દ્વારા હાલ શહેરભરમાં વોલ પેઇન્ટીંગ કરીને સુશોભિત કરવાનો કન્સેપ્ટ અમલમાં મૂકાયો છે. પંરતુ આ કન્સેપ્ટમાં સ્થળ સ્થિતિનું ભાન રાખ્યા વગર વિવેક ચૂક કરીને કાપોદ્રાના રવાણી ફેક્ટરીની સામે ફ્લાય ઓવર બ્રિજની નીચે જાહેર શૌચાલયની દિવાલ પર વોલ પેઇન્ટીંગના નામે ગણપતિ બાપ્પા, કવિ નર્મદનું ચિત્રાંકન કરી દેવાયું હતું.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા જ સુરતના કાપોદ્રા અને વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી કેટલીક સોસાયટીઓમાંના ગેટ પર બેનરો લાગ્યા હતા કે, વિધર્મીઓને મકાન આપવામાં આવશે નહીં.
આ મામલે વરાછા પોલીસ દ્વારા જાણવાજોગ ફરિયાદ નોંધીને હિન્દુ સંગઠનોના આગેવાનોના નિવેદનો પણ લેવામાં આવ્યા હતા. બીજી તરફ પોસ્ટરો જે સોસાયટીમાં લાગ્યા હતા તે સોસાયટીના પ્રમુખો પણ આ વાતથી અજાણ હોવાની વાત બહાર આવી હતી.
જોકે આ મામલો સામે આવતા પાલિકા અધિકારીઓની કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા થયા છે ત્યારે આ વાતને ગંભીરતા લે તે જરૂરી બન્યું છે જે પ્રકારે ચિત્રો સામે આવ્યા છે તેને લઈને હિન્દુ સંગઠનોની લાગણી દુભાઈ છે અને આ મામલે જો મહાનગરપાલિકા દ્વારા હોય તો કાર્યવાહી કરવામાં નહીં આવે તો આમને ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.