સુરતના હજીરા પ્લાન્ટમાં મોડી રાત્રે થયેલા 3 બ્લાસ્ટ બાદ લાગેલી આગ કાબુમાં હોવાનું ONGC દ્વારા સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું છે. આ આગમાં કોઇ જાનહાનિ પણ થઇ નહીં હોવાનું જણાવામાં આવ્યું છે.
સુરતના હજીરા ONGC પ્લાન્ટમાં બ્લાસ્ટ બાદ આગનો મામલો
હજીરા પ્લાન્ટમાં લાગેલી આગ કાબૂમાં
આગની ઘટનામાં જાનહાની નથી થઈ
A fire was observed in the Hazira Gas processing plant in the morning today. Fire has been brought under control. There is no casualty or injury to any person.
સુરતના હજીરા પ્લાન્ટમાં બ્લાસ્ટ બાદ લાગેલી આગને લઇને ONGC દ્વારા ટ્વિટર ના માધ્યમથી સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું છે. ONGC તરફથી જણાવામાં આવ્યું છે કે હજીરા પ્લાન્ટમાં
લાગેલી આગ કાબુમાં છે, આ આગની ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નથી. મોડી રાત્રે 3 કલાકે અને 5 મિનીટે 3 બ્લાસ્ટ થયા હતા.
विस्फोट के कारण लगी आग अब नियंत्रण में है और घटनास्थल पर बचाव कार्य जोरों पर चल रहा है ।
સુરત હજીરના ONGC આગ મામલે ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલનું પણ નિવેદન સામે આવ્યું હતું. ONGC આગ મામલે ટ્વિટ કરી લખ્યું કે વિસ્ફોટ બાદ લાગેલી આગ સંપૂર્ણ કાબુમાં છે, ઘટના સ્થળે રાહત કામગીરી ચાલી રહી છે.
સુરતના હજીરામાં આવેલ ONGC કંપનીમાં લાગેલી આગ મામલે આ અગાઉ શહેરના કલેકટરનું નિવેદન સામે આવ્યું હતું. જેમાં બ્લાસ્ટ બાદ આગ લાગ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. હવાનું દબાણ ઘટાડવાની કામગીરી ONGC દ્વારા કરવામાં આવી. મોડી રાત્રે 3 કલાક અને 5 મિનીટે 3 બ્લાસ્ટ થયા હોવાનું શહેરના કલેકટરે જણાવ્યું હતું. શહેરના કલેકટરે જણાવ્યું હતું કે અત્યારે મહદઅંશે આગ કાબુમાં છે.