સુરતનાં મોટા વરાછા વિસ્તારમાં ધારાસભ્ય મુકેશ પટેલ ખોવાયેલાનાં બેનરો લાગ્યાં છે. મોટા વરાછાનાં સુદામા ચોક પાસે ધારાસભ્ય ગુમ થયા હોવાનાં બેનરો લાગ્યાં છે. ત્યારે હવે આ મામલે ધારાસભ્ય મુકેશ પટેલે નિવેદન આપ્યું છે કે 'પાસનાં કન્વીનર નરેશ વિરાણીએ આ બેનર લગાવ્યાં છે. નરેશ વિરાણી પાસે કોઈ કામ નથી. જેથી તેમણે આ બેનર લગાવ્યાં છે.
મહત્વનું છે કે મુકેશ પટેલ ઓલપાડ બેઠક પરથી ચૂંટણી જીત્યાં હતાં. ચૂંટણી જીત્યાં બાદ મુકેશ પટેલ આ વિસ્તારમાં ન આવ્યાં હોવાનાં કારણે લોકો પરેશાન છે. ચૂંટણી પહેલાં ધારાસભ્યએ કરેલાં વાયદાને તેઓ ભૂલ્યાં હોવાંથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે હવે સામાજીક કાર્યકર નરેશ વિરાણીએ ધારાસભ્ય ગુમ હોવાનાં પોસ્ટર લગાવ્યાં છે.'
આ પોસ્ટરમાં લખ્યું છે કે 'અમારા વિસ્તારમાં રોજનાં 10થી 12 મોબાઈલ ચોરી થાય છે એવાં સમયે પણ અમારો નેતા જોવા મળે તો આવા નેતાનું આપણે શું કામ છે? મુકેશ પટેલનાં રાજમાં મોબાઈલ સ્નેચરોનો રાફડો ફાટ્યો છે. ચૂંટણી જીત્યાં બાદ અમારા નેતા ખોવાયેલ છે તેવું પણ લખવામાં આવ્યું છે.'