સુરતના ઓલપાડમાં ક્યાર વાવાઝોડાને પગલે ઘણુ નુકસાન થયુ છે. ત્યાં સુધી કે ઓલપાડના ભાદોલ ગામમાં ભારે પવન અને વરસાદ તેમ જ વાવાઝોડાને કારણે ઘરોના છાપરા ઉડી ગયા છે. પણ હજુ સુધી તંત્રની કોઈ મદદ તેમના સુધી પહોંચી નથી. સરકાર સહિતના તમામ લોકોને આવનારા સંકટની જાણ હોવા છતાં તંત્રએ ન તો તકેદારીના કોઈ પગલા લીધા ન કોઈ વ્યવસ્થા કરી ઉપરથી ઉત્સવો મનાવવામાં મશગૂલ હોવાથી હજુ સુધી તારાજ ઘરો સુધી મદદ પહોંચી શકી નથી.
વાવાઝોડાના કારણે 50થી વધુ ઘરના પતરા ઉડ્યાં
વીજ વાયરો તૂટી પડતા ગામમાં વીજપુરવઠો ઠપ
સાવચેતીના પગલા કેમ ન લેવાય?
સુરતના ઓલપાડમાં ક્યાર વવાઝોડાએ તારાજી સર્જી છે. ઓલપાડના ભાદોલ ગામ ભારે પવન સાથે વરસાદ પડ્યો છે. વરસાદને પગલે લોકો નવાવર્ષમાં જ કુદરતી આફતનો શિકાર બન્યા છે પરંતુ તંત્ર આ મામલે નઘરોળ સાબિત થયુ છે. મદદ માટે કે પ્રિકોશન માટે કોઈ પગલા જ નથી લેવાયા. નેશનલ અને આંતરાષ્ટ્રીય લેવલે જેની નોંધ લેવાઈ હતી તે ક્યારની નોંધ ગુજરાત સરકારે કેમ ન લીધી તે નવાઈની વાત છે? દિવાળીના તહેવારોમાં જ આવી દુર્ઘટના ખરેખર માઠા સમાચાર છે.
વાવાઝોડાના કારણે 50થી વધુ ઘરના પતરા ઉડ્યાં
મોડીરાત્રે પડેલા વરસાદમાં ઘામના 50થી વધુ ઘરોના પતરા ઉડ્યા છે. ઘરવખરી, ઘાસચારા સહિતના માલસામાનને નુકસાન થયું છે. વરસાદે ખેતીમાં જ નહીં પરંતુ જનજીવન ઉપર પણ અસર પાડજી છે.
વીજ વાયરો તૂટી પડતા ગામમાં વીજપુરવઠો ઠપ
વીજ વાયર તૂટી પડતા ગામમાં વીજ પૂરવઠો પણ ઠપ થઇ ગયો છે. જો કે આટલું નુકસાન થયું હોવા છતા પણ તંત્ર હજુ ગામની મુલાકાતે પહોંચ્યું નથી.
સાવચેતીના પગલા કેમ ન લેવાય?
સરકારી કર્મચારીઓને તહેવાર પહેલા જ ચક્રાવાત ક્યારનો ખતરો ખબર હતી. તેમ છતાં તંત્ર દ્વારા કોઈ પગલા ન લેવાતા તેમની સામે પ્રશ્નો ઉઠી રહ્યા છે. કેમ તંત્ર આવી બેદરકારી દાખવી શકે? તહેવારમાં મહિનાઓ અગાઉથી પ્લાનીંગ કરતું તંત્ર ખતરા સામે કેમ પ્રિકોશન નથી લેતુ? તેવા પ્રશ્નો ઉઠી રહ્યા છે.