બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / મૃતકની પત્નીનો આક્રોશ, પાટીલ સામે જ સરકાર અને સેના પર ઠાલવી હૈયાવરાળ

સુરત / મૃતકની પત્નીનો આક્રોશ, પાટીલ સામે જ સરકાર અને સેના પર ઠાલવી હૈયાવરાળ

Last Updated: 12:44 PM, 24 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

23 એપ્રિલ મંગળવારે જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં 3 ગુજરાતી સહિત 26 લોકોના મોત નીપજ્યા હતા. ત્રણેય ગુજરાતીઓના મૃતદેહને વિમાન માર્ગે ગુજરાત લવાયા હતા. સુરતમાં મૃતક યુવક શૈલેષભાઈ કળથિયાની અંતિમયાત્રામાં હજારો લોકો જોડાયા હતા. આ દુ:ખના સમયે શૈલેષભાઈના અંતિમ દર્શને સી. આર. પાટીલ અને હર્ષ સંઘવી પણ પહોંચ્યા હતા.

પહેલગામમાં થયેલ આતંકી હુમલામાં સુરતના શૈલેષભાઈ કળથિયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. શૈલેષભાઈ તેમના પરિવાર સાથે કાશ્મીર ગયા હતા અને તેમના પરિવાર - પત્ની અને બે બાળકો સામે જ તેમની ગોળી મઆરીને હત્યા કરવામાં આવી હતી. તેમના મૃતદેહને વિમાન માર્ગે પાછો લવાયા બાદ તેમના અંતિમ સંસ્કાર પહેલા તેમના અંતિમ દર્શન માટે અને પરિવારને સાંત્વના આપવા માટે સી,આર. પાટીલ અને ગૃહ મંત્રી હર્ષ સંઘવી ગયા હતા અને શૈલેષભાઈના પત્ની સાથે વાત કરી હતી. શૈલેષભાઈના પત્નીએ પાટીલ સામે સરકાર તરફનો પોતાનો રોષ વ્યક્ત કરતાં ભારતીયોની સલામતી અંગે સવાલ ઉઠાવ્યા હતા.

મૃતક શૈલેષ ભાઈના પત્નીએ સી. આર. પાટીલ સામે રોષ વ્યક્ત કરતાં કહયું કે,

" અમે સામાન્ય માણસો ટેક્સ ભરીએ છીએ અને સામે અમને જરૂરી સુવિધાઓ મળતી નથી. અમે તમારા (સરકાર) પર ભરોસો રાખીને ફરવા ગયા હતા. પણ ત્યાં ઉપર (જ્યાં હુમલો થયો તે જગ્યા) ઘણા બધા ટુરિસ્ટ હોવા છતાં કોઈ પ્રકારની પોલીસ, મિલિટ્રી કે મેડિકલ કેમ્પની સુવિધા નહોતી. આતંકવાદી અમારી સામે આવીને અમે હિન્દુ હોવાના લીધે ગોળી મારી અને જય સુધી જીવ ના ગાયો ત્યાં સુધી તે ત્યાં ઊભો રહીને હસતો રહયો. કાશ્મીર તો સારું જ છે પણ વાંધો આપની સરકારની સિક્યુરિટીમાં છે. અમે સરકાર ઉપર ભરોસો રાખીને મિલિટ્રી ઉપર ભરોસો રાખીને ફરવા જઈએ છીએ. પણ જ્યારે આવી કોઈ ઘટના બને ત્યારે કોઈ મિલિટ્રી ઓફિસર અમને એવું કહે છે કે તમે ઉપર ફરવા જ કેમ ગયા હતા? જો આવું એક મિલિટ્રી ઓફિસર બોલશે તો દેશમાં કોઈને સૈન્ય પર ભરોસો રહેશે નહિ."
surat-3

આટલું જ નહીં તેમના પત્નીએ પાટીલને કહ્યું કે "જો તમે તમારી સરકારમાં લોકોની વિશ્વાસ જાળવી રાખવા માંગતા હોવ તો આ દુર્ઘટનામાં જીવ ગુમાવ્યો તે બધાને પૂરતો ન્યાય થવો જોઈએ. એક ટુરિસ્ટ સ્પોટ જ્યાં ઘણા બધા પ્રવાસીઓ હોય ત્યાં એકપણ સુવિધા ના હોય તો શું કરવાનું ? કોઈ આર્મી ઓફિસર એમ કહી જાય કે તમે ફરવા કેમ જાઓ છો તો ભરોસો કોના પર કરવાનો?"

વધુ વાંચો: ‘પપ્પા અહીં સ્વેટર સારા મળે છે, તમારા માટે લાવું?’, મોત પહેલા આ હતા શૈલેષભાઈના શબ્દો

surat-2

શૈલેષભાઈના પત્નીએ વધુમાં જણાવ્યું હતું કે ત્યાં મુસ્લિમોને છોડી દઈને હિન્દુઓને ટાર્ગેટ કરીને મારવામાં આવ્યા હતા. કાશ્મીર ખરાબ નથી પણ ત્યાં જો સિક્યોરીટી હોત તો તો આ હાદસાને ટાળી શકાયો હોત . તેમના પત્નીએ કહ્યું જે અમે જોયું છે અને જે અમારા પર વીતી છે તે કોઈ સમજી શકશે નહીં. તેમણે સરકાર પાસે ન્યાયની માંગણી કરી છે. શૈલેષભાઈની અંતિમ યાત્રામાં હજારો લોકો જોડાયા હતા. અને તેમના વિધિવત અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ ઘટનાને પગલે સુરતના લોકોમાં પણ રોષની લાગણી દેખાઈ હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Pahalgam Attack Surat News CR Patil
Priyankka Triveddi

Sr. News Editor at VTV Gujarati, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ