ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ હતી જેમાં સુરત મહાનગરપાલિકામાં ભાજપને બહુમતી મળી હતી ત્યારે આજે સુરતવાસીઓ માટે મેયરની જાહેરાત કરવામાં આવી હતી.
સુરતવાસીઓને મળ્યા નવા મેયર
મેયર પદે હેમાલી બોઘાવાલાની વરણી
ડે.મેયર પદે દિનેશ જોધાણીની વરણી
સુરતવાસીઓને આખરે નવા મેયર મળી ગયા છે. મેયર પદે હેમાલી બોઘાવાલાની વરણી કરવામાં આવી છે. સુરત મનપાના ડેપ્યુટી મેયર તરીકે દિનેશ જોધાણીની વરણી કરવામાં આવી છે. તો આ તરફ પરેશ પટેલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બન્યા છે. અને મનપાના શાસક પક્ષના નેતા તરીકે અમિત રાજપૂત અને દંડક તરીકે વિનોદ પટેલની વરણી કરવામાં આવી છે.
સુરત મહાનગરપાલિકામાં ભાજપને બહુમતી મળી
સુરત મનપામાં ભાજપનો ફરી પ્રવેશ થઈ ગયો છે. પરંતુ ભાજપ માટે આ વખતે વિરોધી પક્ષ તરીકે કોંગ્રેસ નહીં પણ આમ આદમી પાર્ટી છે. ગુજરાતમાં સુરતના રસ્તેથી રાજનીતિની શરૂઆત કરનાર આમ આદમી પાર્ટીએ સુરતવાસીઓને કહ્યું Thank You... જો કે, સી.આર પાટીલનો ગઢ કહેવાતા સુરતમાં અંતે ભાજપે પોતાનું અસ્તિત્વ કાયમ રાખ્યું છે. સુરતમાં AAPના કાર્યકરોએ કેક કાપીને ઉજવણી કરી છે. સુરત મનપામાં AAPને 27 બેઠક મળી છે.