સુરતમાં વ્યાજખોરોના આતંકને લીધે વધુ એક જીંદગી જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે. સુરતમાં વ્યાજખોરોના ત્રાસથી મનપા કર્મચારીએ વખ ઘોળ્યુ છે. અને હાલ હોસ્પિટલમાં તે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. જો કે તેને લખેલી સુસાઈડ નોટમાં તમામ ખુલાસા થઈ ગયા છે.
સુરત મનપાના કર્મચારી દ્વારા આપઘાતનો પ્રયાસ
દબાણ ખાતાના કર્મચારીએ આપઘાતનો પ્રયાસ કર્યો
વ્યાજખોરના ત્રાસથી કંટાળી પીધી ઝેરી દવા
સુરત શહેરના લિંબાયત નિલગીરી રંગીલા નગરમાં અનિલ કૈલાશ ચૌધરી બે પુત્રી અને એક પુત્ર અને પત્ની સાથે રહે છે. અનિલ પાલિકાના ઉધના દબાણ ડેપોમાં છેલ્લા 20 મહિનાથી તાલીમાર્થી કર્મચારી તરીકે નોકરી કરે છે. અનિલ છેલ્લા 3-4 દિવસથી માનસિક તણાવમાં હતો. દરમિયાન આજે બપોરના ભોજન બાદ આરામ કરવાના બહાને મિત્રોથી છૂટો પડીને ઉંઘની ગોળીઓ અને કોઈ પ્રવાહી પી લીધું હતું. ત્યારબાદ ઊલટીઓ શરૂ થતાં મિત્રો દોડી આવ્યા હતા.
10 ટકા વ્યાજ પર 25 લાખ રૂપિયા લીધા હોવાની વાત
પોલીસસૂત્રોના જણાવ્યાનુસાર ઝેરી દવા પી લીઘી હોવાનું કહેતા 108માં સ્મીમેર લઈ આવ્યા હતા. જ્યાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે તેના ખીચ્ચામાંથી બે પાનાની સુસાઈડ નોટ પણ મળી આવી છે. સુસાઈડ નોટમાં એક વર્ષ પહેલા 15 લાખ આપવાના નીકળતા હોવાનો હિસાબ હતો. આપઘાતનો પ્રયાસ કરનાર અનિલની પત્ની યોગીતાએ જણાવ્યું હતું કે, ફાયનાન્સર પાસેથી 10 ટકા વ્યાજ પર 25 લાખ રૂપિયા લીધા હોવાની વાત છે.
શું છે સુસાઈડ નોટમાં
હું અનિલ ચૌધરી, મેં ખૂબ મોટી ભૂલ કરી છે. જયેશ સહાણે પાસેથી વર્ષ 2017માં 10 ટકા વ્યાજે પૈસા લીધા હતા અને તેનું સતત વ્યાજ મેં જયેશ સહાણેને રોકડા તેમના બેંકના ખાતામાં ભર્યુ હતું. મે અવારનવાર એના મિત્રોના ઘરે અને બેન્ક એકાઉન્ટમાં પૈસા નંખાવતો હતો. જયેશ સહાણેએ મારી જાતિ વિષયક શબ્દો બોલ્યા હતી. હું આપઘાત કરું છું તેની પાછળ મુખ્ય જવાબદાર જયેશ સહાણે, રવિ સહાણે, સુનિલ સહાણે, નરેન્દ્ર સહાણે, જોગેન્દ્ર સહાણે મારા મરી ગયા પછી આ બધા જ લોકો જવાબદાર