સુરત મનપા દ્વારા કોરોના કાળમાં ભ્રષ્ટાચાર કરાયો હોવાનો આમ આદમી પાર્ટીએ આક્ષેપ કર્યો છે. કન્ટેઇન્મેન્ટ ઝોનને કોર્ડન કરવા બાંબૂ લગાવયા હતા જેમાં રૂ.40.54 લાખના પેમેન્ટમાં રૂ.27.84 લાખનો ભ્રષ્ટાચાર કરાયો હોવાની સંભાવનાઓ દર્શાવાઈ રહી છે.
સુરત મનપા સામે ભ્રષ્ટાચારનો આક્ષેપ
આમ આદમી પાર્ટી કર્યા આરોપ
વધુ પેમેન્ટ ચૂકવ્યાનો આરોપ
સુરત મનપા દ્વારા કોરોના કાળમાં ભ્રષ્ટાચાર કરાયો હોવાનો આમ આદમી પાર્ટીએ આક્ષેપ કર્યો છે સેન્ટ્રલ ઝોનમાં 1 એપ્રિલથી 25 જૂન સુધીમાં રૂ.23.81 લાખ ચુકવાયા હતા જ્યારે વરાછા A અને B ઝોનમાં 16.72 લાખ ચૂકવ્યા હતા. ભાડા ચૂકવવાની જગ્યાએ ખરીદી કરી હોત તો 10 લાખનો ખર્ચ થયો હોત. એક કંપનીના ત્રણ એડ્રેસના બિલો સામે આવ્યા છે. એક કંપની શહેરમાં ત્રણ અલગ અલગ જગ્યાએ ઓફિસ છે. ઓફિસના ત્રણ અલગ એડ્રેસ આવતા ભ્રષ્ટાચારનો આક્ષેપ થઈ રહ્યો છે.
સળગતા સવાલ
સુરત મનપા પર ભ્રષ્ટાચારના આરોપ સાચા છે તો તપાસ કેમ નહીં?
સુરત મનપા સામે આમ આદમી પાર્ટીના આરોપ કેટલા સાચા?
એક કંપનીના 3 એડ્રેસના બિલ પર સુરત મનપા કેમ કંઇ બોલતું નથી?
સુરત મનપા સામે 27.84 લાખના ભ્રષ્ટાચારના આરોપમાં કેટલું તથ્ય?
27.84 લાખનો ભ્રષ્ટાચાર થયો તો જવાબદારો સામે કાર્યવાહી થશે?