કચરા પેટી એટલે 'ભાજપ ભંડોળ પેટી' જી હાં કંઇક આ પ્રકારના જ પોસ્ટર સુરતમાં કચરાપેટી પર લગાવવામાં આવ્યાં છે. સુરતના અઠવાઝોન વિસ્તારમાં ઠેર ઠેર આ પ્રકારના પોસ્ટર લગાવવામાં આવ્યાં છે.
સુરતમાં મનપાનો કચરાપેટી વિવાદ
ધારાસભ્ય હર્ષ સંઘવી દ્વારા કૌભાંડ ઉજાગર કરાયુ હતુ
કૌભાંડને લઇ સુરતમાં લાગ્યા પોસ્ટરો
સમગ્ર ઘટના વિશે વાત કરીએ તો સુરત શહેરમાં સ્વચ્છતા અભિયાન માટે મુકવામાં આવેલી કચરા પેટીમાં પાલિકાના અધિકારીઓએ કરોડો રૂપિયાનું કૌભાંડ કર્યું હોવાનો આક્ષેપ ખુદ ભાજપના ધારાસભ્યએ કરતા હોબાળો મચી ગયો છે.
સુરત પાલિકાની સંકલન બેઠકમાં ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, કોઇ પણ જાતની ટેન્ડરીંગની પ્રક્રિયા કર્યા વગર 3 કરોડ રૂપિયાની કચરા પેટી ખરીદી લેવામાં આવી હતી.
જે થોડા સમયમાં જ તુટીને કામ વગરની થઇ ગઇ છે.સુરત પાલિકામાં ભાજપાનું જ શાસન છે ત્યારે ધારાસભ્યના આક્ષેપથી આશ્ચર્ય ફેલાયું છે. અહીં વિટંબણા એ વાતની પણ છે કે, દેશને સ્વચ્છ કરવાના ઉદેશથી કચરાપેટીની ખરીદી કરાઈ પરંતુ આ ક્લિન ઇન્ડિયાનું આ મિશન પણ ભ્રષ્ટ્રચારના દાગથી બેદાગ નથી.
ઉલ્લેખનીય છે કે સુરતમાં ડસ્ટબીન કૌભાંડ મામલો જોરશોરથી ચગ્યો હતો. જેમાં મનપાની કચરા પેટીઓ ભંગારમાં જોવા મળી હતી. જેને લઇને ભાજપના જ ધારાસભ્ય હર્ષ સંઘવીએ મનપાની કચરાપેટી કૌભાડનો પર્દાફાશ કર્યો હતો.
જેમાં જણાવામાં આવ્યું હતું કે 4 કરોડના ખર્ચે તમામ ઝોનમાં 2976 કચરાપેટીઓ મુકવામાં આવી હતી. જ્યારે 13 હજાર 500 રૂપિયાની સ્માર્ટ કચરાપેટી ભંગાર પડેલી હાલતમાં ગોડાઉમાં જોવા મળી. કચારાપેટીની હલકી ગુણવત્તાના કારણે ગોડાઉનમાં પડેલી જોવા મળી હતી.