ગુજરાતમાં કોરોના વાયરસની મહામારીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા કોરોના દર્દીને લઇને એક નવો નિર્ણય લીધો છે. મનપા દ્વારા લેવામાં આવેલા નિર્ણય અનુસાર સારવારની જરૂર જણાશે તો જ દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે. જ્યારે બીજી તરફ તંત્ર એકશનમાં આવતાં સ્મીમેર હોસ્પિટલમાં મલ્ટિ લેવલ પાર્કિંગમાં 540 બેડનું કોવિડ સેન્ટર ઉભું કરવામાં આવ્યું છે. આમ સુરત મનપા જાણે ગુંચવણમાં હોય તેવું જોવા મળી રહ્યું છે. તંત્ર એક તરફ કોરોનાના વધતા કેસને લઇને કોવિડ સેન્ટર ઉભુ કરી રહ્યું છે ત્યારે બીજી તરફ એવો નિર્ણય લઇ રહ્યું છે કે જો સારવારની જરૂર જણાશે તો જ દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે.
અમદાવાદ બાદ સુરત મનપાએ કોરોના દર્દીને લઇ નિર્ણય કર્યો છે. સારવારની જરૂર જણાશે તો જ દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે. 98 જેટલા પોઝિટિવ દર્દીઓ ઘરે જ સારવાર હેઠળ છે. મનપા દ્વારા શહેરના તબીબો-હોસ્પિટલો સાથે બેઠક કરી છે. રોજના 300 જેટલા કેસો આવવાની શક્યતા છે.
સુરતમાં કોરોના દર્દીઓમાં વધારો થતા SMC એક્શનમાં આવ્યું છે. સ્મીમેર હોસ્પિટલમાં દર્દીઓને રિફર કરવાની શરૂઆત કરી છે. મલ્ટિ લેવલ પાર્કિંગમાં કોવિડ સેન્ટર ઉભું કરવામાં આવ્યું છે. પાર્કિંગમાં 540 બેડનું સેન્ટર ઉભું કરાયુ છે. સ્મીમેર હોસ્પિટલમાં 50 જેટલા દર્દીઓ રિફર કરાયા છે. કોરોના પોઝિટિવ દર્દીઓને રિફર કરાઈ રહ્યાં છે.