કોરોના સંકટ / સુરત મનપા ગુંચવણમાં! કોરોનાના વધી રહેલા કેસ વચ્ચે તંત્રએ લીધો એવો નિર્ણય કે...

surat municipal corporation coronavirus positive case

ગુજરાતમાં કોરોના વાયરસની મહામારીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા કોરોના દર્દીને લઇને એક નવો નિર્ણય લીધો છે. મનપા દ્વારા લેવામાં આવેલા નિર્ણય અનુસાર સારવારની જરૂર જણાશે તો જ દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે. જ્યારે બીજી તરફ તંત્ર એકશનમાં આવતાં સ્મીમેર હોસ્પિટલમાં મલ્ટિ લેવલ પાર્કિંગમાં 540 બેડનું કોવિડ સેન્ટર ઉભું કરવામાં આવ્યું છે. આમ સુરત મનપા જાણે ગુંચવણમાં હોય તેવું જોવા મળી રહ્યું છે. તંત્ર એક તરફ કોરોનાના વધતા કેસને લઇને કોવિડ સેન્ટર ઉભુ કરી રહ્યું છે ત્યારે બીજી તરફ એવો નિર્ણય લઇ રહ્યું છે કે જો સારવારની જરૂર જણાશે તો જ દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ