ગઇકાલે સુરત મહાનગરપાલિકા કચેરીએ AAPના કોર્પોરેટર અને કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તો આજે ભાજપ કાર્યાલય ખાતે આપે વિરોધ નોંધાવ્યો હતો.
સુરતમાં AAP કોર્પોરેટરો અને કાર્યકરોના કમિશનર કચેરીએ ધામા
પાલિકા કચેરીમાં પોલીસની કાર્યવાહી સામે વ્યક્ત કર્યો રોષ
કોર્પોરેટર સાથેની મારપીટ મામલે કરી પોલીસ કમિશનરને રજૂઆત
સુરત મહાનગર પાલિકામાં વિરોધ કરી રહેલા AAPના કોર્પોરેટર અને પોલીસ બબાલ થઇ હતી. જેને લઇને આજે AAPએ ભાજપ કાર્યાલય ખાતે વિરોધ નોંધાવ્યો હતો. આ દરમિયાન AAP અને BJPના કાર્યકરો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. AAPના કાર્યકરોએ ભાજપ કાર્યાલયનો ઘેરાવ કર્યો હતો. SMCની કચેરીએ સુરત AAPના કોર્પોરેટર પર દમનગીરીનો આક્ષેપ લગાવ્યો છે.
BJP કચેરીમાં હાજર કાર્યકર્તાઓએ માર માર્યો હોવાનો આક્ષેપ
સુરતમાં AAPના કાર્યકરો ઉધના BJP કાર્યાલય પહોંચ્યા હતા. ભાજપની કચેરીમાં પ્રવેશેલા AAPના કાર્યકરોને માર મરાયાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. કાર્યાલય ખાતે ભાજપ અને AAPના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસે ઘટના સ્થળે પહોંચી AAPના કાર્યકરોની અટકાયત કરી હતી. તો વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસની કાર્યકરો સાથે બબાલ થઇ હતી. જ્યારે AAPનો કાર્યકર રેલી દરમિયાન ઇજાગ્રસ્ત થયો હતો.
AAP કોર્પોરેટરો-કાર્યકરોની પોલીસ કમિશ્નરને રજૂઆત
સુરતમાં AAP કોર્પોરેટરો અને કાર્યકરોના કમિશનર કચેરીએ ધામા નાખ્યા હતા. મનપા કચેરીમાં પોલીસની કાર્યવાહી સામે રોષ વ્યક્ત કર્યો હતો. કોર્પોરેટર સાથેની મારપીટ મામલે કરી પોલીસ કમિશનરને આપ દ્વારા રજૂઆત કરવામાં આવી છે. કોર્પોરેટરને માર મારવા છતા પોલીસકર્મીએ ફરિયાદ ન લેવાનો આપ દ્વારા આક્ષેપ કરાયો છે. લાલગેટ પોલીસના PI અને સ્ટાફ સામે ફરિયાદ કરવાની માગણી પણ કરવામાં આવી છે. પોલીસના મારનો ભોગ બનેલા કોર્પોરેટરને સાથે રાખીને રજૂઆત કરાઈ છે.
મહત્વનું છે કે, 3 કોર્પોરેટરને મારમારતા સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. એક મહિલા કોર્પોરેટરના કપડા પણ ફાડી નાખવાનો આરોપ હતો.