મોબાઈલ એ આધુનિક યુગમાં મનુષ્ય જાતને મળેલું ટેક્નોલોજીનું વરદાન છે. મોબાઈલે દેશ, સ્થળ અને કાળના સીમાડા વટાવીને મનુષ્યનું જીવન સરળ કરી આપ્યું છે. પરંતુ દરેક વસ્તુમાં જેમ અતિની કોઈ ગતિ નથી તે નિયમ આ મોબાઈલનાં વપરાશમાં પણ લાગુ પડે છે. મોબાઈલનો બિનજરૂરી અને કેવળ મનોરંજન માટેનો વપરાશ અનેક કામો અને જવાબદારીઓને ખોરંભે ચડાવી દે છે. જેનાં માઠા ફળ સમાજને ચાખવા મળ્યાં છે કે નહીં તે તો ખબર નથી પરંતુ સુરત મહાનગર પાલિકાને એ વાત સારી રીતે સમજાઈ ગઈ લાગે છે.
મોબાઈલ (Mobile) નો વધારે પડતો વપરાશ રૂટિન કામકાજને ખોરંભે ચડાવે છે. આ વાત કોઈ સમજે કે ન સમજે પરંતુ સુરત મહાનગર પાલિકા (Surat Municipal Corporation) આ વાત સારી રીતે સમજી ગઈ છે. સુરત મહાનગર પાલિકાનાં સત્તાધીશોએ કામકાજના સમયે મોબાઈલ પર સમય વેડફતા કર્મચારીઓ સામે લાલ આંખ કરી છે. સુરત મનપાએ આવા કર્મચારીઓ સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવાનું મન બનાવ્યું છે. તો મનપાએ કેમ ભરવું પડયું આકરું પગલું જોઈએ આ અહેવાલમાં.
મોબાઈલ એ આધુનિક યુગમાં મનુષ્ય જાતને મળેલું ટેક્નોલોજીનું વરદાન છે. મોબાઈલે દેશ, સ્થળ અને કાળના સીમાડા વટાવીને મનુષ્યનું જીવન સરળ કરી આપ્યું છે. પરંતુ દરેક વસ્તુમાં જેમ અતિની કોઈ ગતિ નથી તે નિયમ આ મોબાઈલનાં વપરાશમાં પણ લાગુ પડે છે. મોબાઈલનો બિનજરૂરી અને કેવળ મનોરંજન માટેનો વપરાશ અનેક કામો અને જવાબદારીઓને ખોરંભે ચડાવી દે છે.જેનાં માઠા ફળ સમાજને ચાખવા મળ્યાં છે કે નહીં તે તો ખબર નથી પરંતુ સુરત મહાનગર પાલિકાને એ વાત સારી રીતે સમજાઈ ગઈ લાગે છે અને એટલે જ સુરત મહાનગર પાલિકાનાં વ્યવસ્થા તંત્રને પોતાનાં કર્મચારીઓ સામે મોબાઈલ વપરાશ બાબતે લાલ આંખ કરવાની ફરજ પડી છે.
સુરત મહાનગર પાલિકાએ કામનાં સમયે પણ મોબાઈલ પર વ્યસ્ત રહેતા કર્મચારીઓની સાન ઠેકાણે લાવવા અને જવાબદારીનું ભાન કરાવવા માટે શિક્ષાત્મક પગલાંનું હથિયાર ઊપાડ્યું છે. સુરત મહાનગર પાલિકા પોતાના કર્મચારીઓનાં મોબાઈલ વપરાશ પર પ્રમાણભાન જાળવવા માટે લોકર અને તેના પર સીસીટીવી કેમેરાથી નજર રાખવા પણ તૈયારી કરી રહ્યું છે. કામનાં સમયે સુરત મનપાના કર્મચારીઓ મોબાઈલ પર વાતચીતમાં અને ચેટિંગમાં વ્યસ્ત રહેતા હોવાની અનેક વાર ફરિયાદો ઊઠી હતી.
કર્મચારીઓ (Employees) ઓફિસ સમય દરમિયાન મોબાઈલ પર વાતચીતમાં વ્યસ્ત રહેતા હોવાના કારણે નાગરિકોના કામો અટવાઇ રહ્યાં હતાં. નાગરિકો દ્વારા પણ અનેક વખત ઉપરી અધિકારીઓનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. ત્યારે હવે નાગરિકોનાં હિતમાં લઇ સુરત મ્યુનિસિપલ કમિશનરે પોતાનાં કર્મચારીઓ સામે કડક પગલું ભર્યું છે. સુરત મનપાએ હવે કામના સમયે મોબાઈલનો બિનજરૂરી વપરાશ કરનારા કર્મચારીઓ સામે શિક્ષાત્મક કાર્યવાહીનો પરિપત્ર બહાર પાડ્યો છે. આ પરિપત્ર મુજબ ઓફિસ સમય દરમિયાન મોબાઈલનો વધારે પડતો વપરાશ કરનારા કર્મચારીઓ સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. એસએમસી કમિશનરનાં આ નિયમને ચૂંટાયેલા પ્રતિનિધિઓએ પણ આવકાર્યો છે.
સુરત મનપાનાં આ નિર્ણયને સલામ છે. અન્ય મહાનગર પાલિકાઓ દ્વારા પણ આવો નિર્ણય લેવામાં આવે તો નાગરિકોનાં કામ જલદી થશે તેમા કોઈ શંકા નથી. કેમ કે આ સમસ્યા રાજ્યની કોઈ એકલ દોકલ ઓફિસની નથી. અનેક ઓફિસમાં કર્મચારીઓ દ્વારા મોબાઈલનાં બિનજરૂરી વપરાશને કારણે નાગરિકોનાં કામ અટવાય છે અને ઓફિસ બહાર નાગરિકો કામ માટે કલાકો સુધી ફરતા હોય છે અથવા તો જે તે દિવસે કામ ન થતાં. તેમને ધક્કા ખાવા પડે છે. ત્યારે સુરત એએમસીનાં આ નિર્ણયથી કોર્પોરેશનનાં કર્મચારીઓ કામમાં વધારે સમય ફાળવતા થશે અને નાગરિકોનાં કામ સમયસર થશે તેવી આશા જાગી છે.