સુરતમાં કોરોના વિસ્ફોટ ફાટી નીકળ્યો છે. કોરોનાથી મોતનો આંકડો પણ વધી રહ્યો છે ત્યારે સુરત મહાનગરપાલિકામાં 500થી વધુ કર્મચારીઓ કોરોનાની ઝપેટમાં આવી ચુક્યા હોવાનું સામે આવ્યું છે. અને 14થી વધુ કર્મચારીઓના મોત થયા હોવાનું પણ સામે આવ્યું છે.
સુરત મહાપાલિકાએ 14 કર્મચારી ગુમાવ્યા
SMCના 14 કર્મચારીઓના કોરોનાથી મૃત્યુ
મનપાના 500થી વધુ કર્મીઓ કોરોના સંક્રમિત
સુરત મનપા માટે કોરોના કાળ બનીને આવ્યો છે. સુરત મનપાના 14 કર્મચારીઓના કોરોનાથી મૃત્યુ થયા છે જ્યારે 2 કર્મચારીઓના કુદરતી રીતે મૃત્યુ થયા છે. સુરત મનપાના 500થી વધુ કર્મી કોરોના પોઝિટિવ થઈ ચુક્યા છે. સુરત મનપાએ કોરોનાકાળમાં 15 કર્મચારીઓ ગુમાવ્યા છે જેમાં નિવૃત્ત થયેલા 3 કર્મચારીઓના પણ કોરોનાથી મોત થયા છે.
ગુજરાતમાં કોરોનાનો આંકડો 72 હજારને પાર પહોંચી ચૂક્યો છે. રાજ્યમાં આજે કોરોનાના 1,056 કેસ નોંધાતા કુલ આંકડો 72,120પર પહોંચ્યો છે. આજે 1,138 દર્દીઓ સાજા થતાં અત્યાર સુધીમાં કુલ 55,276 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આ તમામને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ ગુજરાતમાં સાજા થવાનો દર 73 ટકાથી ઉપર છે. આ સાથે જ રાજ્યમાં આજે સુરત, અમદાવાદ, મહિસાગર, દાહોદ, અને વડોદરામાં કોરોનાના સૌથી દર્દીઓ વધુ સાજા થયા છે. જોકે સુરત બાદ સૌથી વધુ આજે મહિસાગરમાં દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં હવે 14,170 દર્દીઓ સારવાર હેઠળ છે.
સુરત બાદ સૌથી વધુ મહિસાગરમાં દર્દીઓ સાજા થયા
રાજ્યમાં આજે રાહતના સમાચાર એ છે કે, છેલ્લા 24 કલાકમાં 1,056 કેસ નોંધાયા છે જેની સામે 1,138 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. જેમાં સુરતમાં 260, મહિસાગરમાં 121, અમદાવાદમાં 113 અને વડોદરામાં 81, સૌથી વધુ દર્દીઓ સાજા થયા છે. મહત્વનું છે કે, ગઇકાલે(9 ઓગસ્ટ) 1,078 કેસ નોંધાયા હતા જેની સામે 1,311 દર્દીઓ ડિસ્ચાર્જ થયા હતા. 8 ઓગસ્ટે 1101 કેસ નોંધાયા છે જેની સામે 1135 દર્દીઓ ડિસ્ચાર્જ થયા હતા. 7 ઓગસ્ટે 1074 કેસ નોંધાયા હતા જેની સામે 1370 દર્દીઓ ડિસ્ચાર્જ થયા હતા.
કોરોનાથી કેટલા દર્દીના મોત ?
રાજ્યમાં કોરોનાથી છેલ્લા 24 કલાકમાં 20 દર્દીઓના ભોગ લીધો છે. જેને લઇને અત્યાર સુધીમાં રાજ્યમાં 2,674 દર્દીઓના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે. મહત્વનું છે કે, ભારતમાં કોરોના વાયરસના કેસ 22 લાખને પાર થઇ ચૂક્યા છે. જ્યારે દેશમાં અત્યાર સુધીમાં દેશમાં 44 હજારથી વધુ દર્દીઓના મોત થઇ ચૂક્યા છે.
રાજ્યના વિવિધ જિલ્લામાં નોંધાયેલા આજના કોરોના વાયરસના કેસની વિગત