સુરતના તક્ષશિલા આર્કેટમાં થયેલા અગ્નિકાંડ બાદ રાજ્યભરમાં ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદ, સુરત અને રાજકોટમાં મનપા દ્વારા ડિમોલેશનની કામગીરી હાથધરાઈ હતી.
સુરતમાં મનપાએ અડાજણમાં આઈ.એન. ટેકરવાળા સ્કૂલમાં કામગીરી હાથ ધરી. અગાશી ઉપર બનાવવામાં આવેલા ગેરકાયદે બાંધકામને દૂર કરવામાં આવ્યું છે. તો બીજી અમદાવાદના પૂર્વ ઝોનમાં AMCએ એસ્ટેટ વિભાગે ત્રણ સ્થળોએ દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી.
એસ્ટેટ વિભાગ દ્વારા ઉદગમ શાળામાં ડિમોલિશન હાથ ધરી અને બિનઅધિકૃત શેડ્સને દૂર કરવામાં આવ્યા. આ ઉપરાંત રાજકોટમાં પણ ડિમોલેશનની કામગીરી હાથ ધરાઈ. રાજકોટના રૈયાધાર પાસે મારવાડીવાસમાં ડિમોલિશન કામગીરી હાથ ધરાઈ છે. ચુસ્ત પોલીસ બંદોબસ્તની સાથે ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ હતી.