ગુજરાતમાં કોરોના વાયરસની મહામારીનો કહેર જોવા મળી રહ્યો છે. કોરોનાના વાયરસના પગલે દેશભરમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે પરપ્રાંતિય શ્રમિકોને પોતાના વતન મોકલવાને લઇને સ્પેશિયલ શ્રમિક ટ્રેનો દોડાવામાં આવી રહી છે. જેમાં ગુજરાતમાં સુરત શહેરમાં શ્રમિક ટ્રેનને લઇને રાજકારણ ગરમાયું છે. જેમાં કોંગ્રેસ અને ભાજપ આમને સામને જોવા મળી રહ્યાં છે.
સુરતના શ્રમિકોને વતન મોકલવાનો મામલો
જિલ્લા કોંગ્રેસની બેદરકારીના કારણે બે શ્રમિક ટ્રેન કેન્સલ થઇ
નોડલ ઓફિસ સમક્ષ લેખિતમાં જિલ્લા કોંગ્રેસે નાણાકીય નાદારી જાહેર કરી
સુરતના શ્રમિકોને વતન પરત મોકલવાને મામલે હવે જિલ્લા કોંગ્રેસની બેદરકારીના કારણે બે શ્રમિક ટ્રેન કેન્સલ થઇ હોવાનું સામે આવ્યું છે. નોડલ ઓફિસ સમક્ષ લેખિતમાં જિલ્લા કોંગ્રેસ નાણાકીય નાદારી જાહેર કરી હોવાનું ખુલ્યું છે. જેમાં નાદારી જાહેર કરાતા બે શ્રમિક ટ્રેન રદ્દ કરવી પડી છે.
શહેરમાં બે શ્રમિક ટ્રેન રદ્દ કરવાના કારણે ઉત્તરપ્રદેશના ગૌડ અને ગોરખપુરના શ્રમિકો અટવાયા છે. ત્યારે આ અંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જગદીશ પટેલે ખુલાસો કર્યો કે શ્રમિકોને વતન મોકલવામાં ટ્રેન માટે પૈસા મુદ્દો નથી.
જિલ્લા કોંગ્રેસ પ્રમુખે કહ્યું કે ટ્રેનોની મંજુરી આપ્યા બાદ ખુબ ઓછો સમય મળ્યો હતો. આમ ઓછો સમય મળવાના કારણે ટ્રેન રદ્દ થઇ છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જગદીશ પટેલે ભાજપ પર આક્ષેપ કરતા કહ્યું કે આ બધુ ભાજપના ઇશારે થઇ રહ્યું છે. જેના કારણે 3200 જેટલા શ્રમિકો અટવાયા છે.