ગુજરાતમાં પરપ્રાંતિયોનો વતન પહોંચાડવા માટે કોંગ્રેસે ભાડાની જાહેરાત કરી હતી જે બાદ આ મામલો વધુ ગંભીર બન્યો હતો છેલ્લા 52 દિવસથી ભારતમાં લોકડાઉન છે અને ધંધા રોજગાર બંધ છે ત્યારે શ્રમિકો પાસેથી ખાવાના રહેવાના કે પછી વતન પહોંચવાના ભાડાના પૈસા ક્યાંથી હોય ત્યારે આ મામલે કોંગ્રેસના સોનિયા ગાંધીએ શ્રમિકોના ભાડુ કોંગ્રેસ ચુકવશે એવી જાહેરાત કરી હતી. આજે સુરતમાં કોંગ્રેસ નાદારી નોધાઈ હોવાની વાત સામે આવી છે. જ્યારે કોંગ્રેસ કહે છે કે અમને પુરતી માહિતી નથી એટલે અમે અવઢવમાં છીએ. આ સમગ્ર મામલામાં 3200 શ્રમિકો રખડી પડ્યા છે.
જિલ્લા કોંગ્રેસની બેદરકારીના કારણે બે શ્રમિક ટ્રેન કેન્સલ થઇ હોવાનો ભાજપનો આક્ષેપ
નોડલ ઓફિસ સમક્ષ લેખિતમાં જિલ્લા કોંગ્રેસ નાણાકીય નાદારી જાહેર કરી હોવાનો આક્ષેપ
નાદારી જાહેર કરતા બે શ્રમિક ટ્રેન રદ્દ કરવી પડી
સુરતના શ્રમિકોને વતન પરત મોકલવાને મામલે હવે જિલ્લા કોંગ્રેસની બેદરકારીના કારણે બે શ્રમિક ટ્રેન કેન્સલ થઇ હોવાનું સામે આવ્યું છે. નોડલ ઓફિસ સમક્ષ લેખિતમાં જિલ્લા કોંગ્રેસ નાણાકીય નાદારી જાહેર કરી હોવાનું ખુલ્યું છે. અને નાદારી જાહેર કરાતા બે શ્રમિક ટ્રેન રદ્દ કરવી પડી છે. જેના કારણે ઉત્તરપ્રદેશના ગૌડ અને ગોરખપુરના શ્રમિકો અટવાયા છે.
શું કહે છે કોંગ્રેસ?
આ અંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જગદીશ પટેલે ખુલાસો કર્યો કે શ્રમિકોને વતન મોકલવામાં ટ્રેન માટે પૈસા મુદ્દો નથી. ટ્રેનોની મંજુરી આપ્યા બાદ ખુબ ઓછો સમય મળ્યો હતો. અને ઓછા સમય મળવાના કારણે ટ્રેન રદ્દ થઇ છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જગદીશ પટેલે ભાજપ પર આક્ષેપ કરતા કહ્યું કે આ બધુ ભાજપના ઇશારે થઇ રહ્યું છે. જેના કારણે 3200 જેટલા શ્રમિકો અટવાયા છે.
કેટલી ટ્રેન દોડાવાઈ
સુરતમાં ફસાયેલા શ્રમિકોને તેમના વતન જવા માટે સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવી રહી છે. જેમાં સુરતતી અન્ય રાજ્ય માટે 13 દિવસમાં 112 ટ્રેન દોડાવવામાં આવી છે. આ ટ્રેનમાં 1 લાખ 75 હજાર શ્રમિકોને વતનમાં મોકલવામાં આવ્યા છે. સૌથી વધુ ટ્રેન ઉત્તરપ્રદેશ માટે દોડાવવામાં આવી છે. સુરતથી ઉત્તરપ્રદેશ માટે 63 ટ્રેન દોડવાઈ છે. તો રાજસ્થાન માટે 1 ટ્રેન દોડાવાઈ. બીજી તરફ એક માત્ર ઉત્તરાખંડ સરકારે શ્રણિકોનું રેલ ભાડુ પોતે જમા કરાવ્યું છે. જ્યારે બાકીના રાજ્યમાં શ્રમિકો સ્વખર્ચે વતન પહોંચ્યા છે. આ તરફ ઓડિશા માટે 27 ટ્રેન, બિહાર માટે 14 ટ્રેન, ઝારખંડ માટે 6 અને ઉત્તરાખંડ માટે 2 ટ્રેન સુરતથી શ્રમિકોને લઈને રવાના થઈ છે