સુરતમાં ઉતરાણ બ્રિજ પર ટ્રેકના રિપેરિંગનું કાર્ય ચાલતું હોવાથી અમદાવાદ-મુંબઈ વચ્ચેના ટ્રેન વ્યવહારમાં મેગા બ્લોક થશે. બપોરે 12 વાગ્યાથી 4.30 વાગ્યા સુધી ટ્રેનો મોડી પડી શકે છે. મુંબઈથી અમદાવાદ તરફનો ટ્રેક બંધ છે.
મેગા બ્લોકને કારણે અનેક ટ્રેનો મોડી પડી શકે છે. જેમાં જામનગર ઈન્ટરસિટી એક્સપ્રેસ 1 કલાક 40 મિનિટ મોડી દોડી રહી છે. જ્યારે ફિરોજપુર જનતા એક્સપ્રેસ 1 કલાક 30 મિનિટ મોડી દોડશે. તો સૌરાષ્ટ્ર મેલ 1 કલાક અને નવજીવન એક્સપ્રેસ 45 મિનિટ અને અન્ય ટ્રેનો 20 મિનિટથી 30 મિનિટ મોડી દોડશે.
ઉલ્લેખનીય છે કે સુરતમાં ઉતરાણ બ્રિજ પર રહેલા ટ્રેક પર રિપેરિંગ કાર્ય ચાલતુ હોવાને કારણે આ મેગા બ્લોક કરવામાં આવશે. આ ઘટનાને પગલે ટ્રેનનું ટાઇમ ટેબલ ખોરવાશે તો આ સાથે મુસાફરોએ પણ હેરાનગતિનો સામનો કરવો પડશે.
જો કે આ મેગા બ્લોકમાં યુધ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવશે અને શક્ય હશે તેટલું ઝડપથી ટ્રેનોને રાબેતા મુજબ કરવામાં આવશે તેવો પ્રયાસ હાથ ધરવામાં આવશે.