સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં યુવતીએ ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. આ મામલે પોલીસે આરોપી પતિની ધરપકડ કરી છે. કોમલના આપઘાત મામલે પોલીસ તપાસ કરી રહી છે ત્યારે હવે પોલીસને તાંત્રિક વિધીને લાગતા કાગળો પર મળી આવ્યા છે.
પોલીસ ગણદેવીના કસેલી ગામમાં જઈને ભૂવાની તપાસ કરશે. મળતી માહિતી મુજબ દીપક અને કોમલ એક બીજા સાથે પ્રેમ કરતા હતા. જોકે પરિવાર તેમના લગ્ન કરાવવા માટે તૈયાર ન હતો. જેના કારણે કોમલે ફીનાઈલ પીધુ હતુ. જેથી પરિવારે કોમલને દીપકના ઘરે મોકલી હતી.
લગ્ન પહેલા જ દીપક સંતાનની માગ કરતો હતો. જોકે સંતાન ન થતા દીપકે કોમલને ભૂવા પાસેથી ડામ અપાવ્યાં હતા. જો કે ડામ આપ્યા બાદ કોમલને આઘાત લાગ્યો હતો. જેને લઇને કોમલે પાંચ જુલાઈના રોજ ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. આ મામલે કોમલની માતાએ પતિ દીપકની વિરુદ્ધ ફરિયાદ કરી હતી.
ઉલ્લેખનીય છે કે સુરતના જહાંગીરપારા વિસ્તારમાં યુવતીએ ગળે ફાંસો ખાઇને આપઘાત કર્યો હતો, જેમાં તેના માતાએ કરેલી ફરિયાદના આધારે પોલીસે તેના પતિની ધરપકડ કરી છે. કોમલની આત્મહત્યા મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસને તાંત્રિક વિધીને લઇને કેટલાંક કાગળો પણ મળી આવ્યાં હોવાની જાણકારી મળી છે.