સુરતમાં સતત અવનવી ઘટનાઓ બનતી હોય છે ક્યાંક પતિ-પત્નીની હત્યા કરી દે ક્યાંક માતા પોતાના જ બાળકને ફેંકી દેવાની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.
પિતાએ પોતાના દીકરો વ્યસનની લતે લાગી ગયો હતો જેથી પિતાએ પોતાના દીકરાને વ્યસન મુક્તિ કરવામાં માટે અનેક પ્રયાસો કર્યા પણ કોઈ નિકાલ ન આવતા આખરે ન કરવાનું કર્યું. પોતાના દીકરા સાથે પિતાએ ખાનગી વ્યસન મુક્તિ કેન્દ્રના માણસો સાથે દીકરાનું અપહરણ કરાવ્યું હતું.
પિતાએ મોકલેલા 4 મળતીયા યુવકની અપહરણ કરી ગયા
મુળ સૌરાષ્ટ્રના અમરેલીના લાઠી તાલુકાના પીપરીયા ગામનાં વતની અને હાલ સુરતના અમરોલીના છાપરાભાઠાં રોડ સ્થિત અમરદીપ સોસાયટીના ફલેટ નં.A-3/403માં કુંટુંબી કલ્પેશભાઈ માલવીયા સાથે રહેતા 34 વર્ષીય જગદીશ માલવિયા નામના યુવક દારુની લતે ચઢ્યો હતો, આ વ્યસન બાદ તે વતનમાં પિતાના ઘરે જતો ન હતો. જેને લઇને 70 વર્ષીય પિતા પ્રેમજીભાઈ માલવીયા દ્વારા ગત મધ્યરાત્રીના 12.30 વાગ્યા આસપાસ અબ્રામા રોડ પર આવેલા જી.ફાર્મમાં ચાલતા જીયા ચેરીટેબલ ટ્રસ્ટ ચલાવતાં પરિચિતોને પુત્રને ત્યાં મોકલ્યા હતા. લોનનું કામ હોવાનું બહાનું કાઢી જગદીશભાઈને બહાર બોલાવ્યા બાદ આ ચારેય વ્યક્તિઓએ જગદીશભાઈને સ્કોર્પિયો કારમાં બેસાડી તેનું અપહરણ કરી ટ્રસ્ટની ઓફિસે લઈ ગયા હતા.
પિતા સહિત 3 લોકોની પોલીસે કરી લીધી ધરપકડ
તો બીજી તરફ સમગ્ર હકીકતથી અજાણ કૌટુંબિક ભાઈ કલ્પેશ માલવિયાએ અપહરણ મામલે અમરોલી પોલીસને જાણ કરી દીધી હતી. રાત્રીના સમયે મોબાઈલ બંધ આવતા અમરોલી પોલીસે આજરોજ સવારે મોબાઈલ લોકેશનનાં આધારે અપહરણ કરનારા જતીનભાઈ નટરવરભાઈ પટેલ, મયુરભાઈ ગોરધનભાઈ ઘેલાણી, વિજયકુમાર મોહનલાલ પરમાર અને શબ્બીર હુસેનગુલામ અબ્બાસ મોમીનને ઝડપી પાડ્યા હતા. અમરોલી પોલીસે કૌટુંબિક ભાઈ કલ્પેશ માલવિયાની ફરિયાદ લઈ ચારેય વિરુધ અપહરણનો ગુનો દાખલ કરીને અટકાયત કરી હતી. હાલ વધુ તપાસ હાથ ધરી છે. જેમાં પિતા અને બીજા ત્રણ લોકોને અમરોલી પોલીસે ધરપકડ કરી તપાસ શરૂ કરી છે.
મહત્વનું એ છે કે પિતાએ કેટલી હદે પરેશાન થયા હશે જેથી કે પોતાના દીકરાનું અપહરણ કરાવવું પડ્યું હશે. નશાની લત પોતાના શરીર, સ્વાસ્થ્ય અને પરિવારને તમામ રીતે નુકસાની તરફ દોરે છે.