ગુજરાતમાં કોરોના વાયરસની મહામારીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યના સુરત શહેરમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે શહેરમાં આવેલા ઉધના ઝોનમાં 6 મનપા કર્મચારીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ત્યારે કર્મચારીઓ પોઝિટિવ છતાં રજા ન અપાતી હોવાથી વિવાદ સર્જાયો છે. ત્યારે મનપા કર્મચારીઓ દ્વારા યોગ્ય વ્યવસ્થા ન થાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
સુરત મનપા કર્મચારીઓએ ઉચ્ચારી ચીમકી
કોરોના સંક્રમિત માટે યોગ્ય વ્યવસ્થા કરવા માગ
યોગ્ય વ્યવસ્થા ન થાય તો આંદોલનની ચીમકી
ઉધના ઝોનમાં 6 મનપા કર્મચારી પોઝિટિવ
સુરત મનપા કર્મચારીઓએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. કોરોના સંક્રમિત માટે યોગ્ય વ્યવસ્થા કરવા માગ કરવામાં આવી છે. યોગ્ય વ્યવસ્થા ન થાય તો આંદોલનની ચીમકી આપી છે. ઉધના ઝોનમાં 6 મનપા કર્મચારી પોઝિટિવ છે.
કર્મચારી પોઝિટિવ છતાં રજા ન અપાતી હોવાથી વિવાદ વધ્યો છે. પોઝિટિવ છતાં આકારાણી અને ગુમાસ્તાધારામાં હાજર રખાય છે. કોરોના સંક્રમિત અથવા તો સંપર્કમાં હોવા છતાં રજા આપવામાં આવતી નથી.
અત્યાર સુધીમાં મનપાના 7 કર્મચારીઓના કોરોનાથી મૃત્યુ થયા છે. 150થી વધુ કર્મચારીઓ કોરોના પોઝિટિવ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. મનપા કર્મચારીઓની કાળજી લેવામાં નિષ્ફળ હોવાનો આરોપ છે.