સુરત પોલીસ બાદ લાજપોર જેલ તંત્રનું અભદ્ર વર્તન સામે આવ્યું છે. કોર્ટના ઓર્ડરને વકીલની સામે જ ફેંકી દઈ કોર્ટના ઓર્ડરને સ્વીકારવાની ના પાડતા જેલ તંત્ર સામે અનેક સવાલો ઉભા થયા છે. વાત એવી છે કે, કસ્ટોડીયલ ડેથમાં મૃતકના ભાઈને કોર્ટે શરતી જામીન આપ્યા હતા. મૃતક ઓમપ્રકાશના ભાઈ રામગોપાલને કોર્ટે શરતી જામીન આપ્યા હતા.
ત્યારે મોડી રાતે લાજપોર મધ્યસ્થ જેલ ખાતે વકીલ કોર્ટનો ઓર્ડર લઈને પહોંચ્યા હતા. તેઓને લાજપોર જેલ તંત્રનો કડવો અનુભવ થયો હતો. મૃતક ઓમપ્રકાશની અંતિમવિધિ માટે કોર્ટે રામગોપાલના જામીન મંજૂર કર્યા હતા. પણ જેલનું અભદ્ર વર્તન સામે આવતા હવે વકીલ સમગ્ર ઘટના અંગે કોર્ટમાં રજૂઆત કરશે.