TRBના સુપરવાઈઝર સાજન ભરવાડે વકીલ મેહુલ બોઘરા પર કરેલા હુમલાનાં વિરોધમાં આવતી કાલે સુરતના તમામ વકીલો કોર્ટથી કલેક્ટર કચેરી સુધી રેલી કાઢશે.
એટ્રોસિટીની ફરિયાદ સામે વકીલ મેહુલ બોઘરા દ્વારા HCમાં પિટિશન
આવતી કાલે સુરતના વકીલો કોર્ટથી કલેક્ટર કચેરી સુધી રેલી કાઢશે
મેહુલને ન્યાય માટે હાઇકોર્ટ બાર એસોસિએશનની પણ મદદ લેવાશે
સુરતમાં વકીલ મેહુલ બોઘરા પર હુમલા મામલે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરાઇ છે. વકીલ સામે કરાયેલી એટ્રોસિટીની ફરિયાદ સામે હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરાઇ છે. મેહુલ બોઘરાએ જાતે જ કવોશિંગ પિટિશન દાખલ કરી છે.
મેહુલને ન્યાય અપાવવા હાઇકોર્ટ બાર એસોસિએશનની પણ મદદ લેવાશે
તમને જણાવી દઇએ કે, સુરત બાર એસોસિએશન મેહુલ બોઘરાના સમર્થનમાં છે. આવતી કાલે સુરતના તમામ વકીલો રેલી કાઢશે. બપોરના અઢી વાગ્યે કોર્ટ સંકુલથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજાશે. મેહુલને ન્યાય અપાવવા માટે હાઇકોર્ટ બાર એસોસિએશનની પણ મદદ લેવાશે.
ગઇકાલે તંત્ર દ્વારા 9 TRB જવાનોને છુટ્ટા કરાયા
ઉલ્લેખનીય છે કે, સુરતના વકીલ મેહુલ બોઘરા પર કરવામાં આવેલા હુમલાને લઇને સમગ્ર ગુજરાતમાં ભારે વિવાદ સર્જાયો છે. ત્યારે ગઇકાલે આ ઘટના દરમ્યાન ફરજમાં બેદરકારી દાખવનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. તંત્ર દ્વારા 9 TRB જવાનોને છુટ્ટા કરાયા છે. ટ્રાફિકમાં ઉઘરાણાની બુમ વચ્ચે 9 TRB જવાનની હકાલપટ્ટી કરવામાં આવી છે. ચાલુ ફરજે ફોનનો ઉપયોગ કરવો તેમજ પોઇન્ટ પર ગેરહાજરીને લઈને તંત્ર દ્વારા આ પગલાં લેવાયા.
બીજી બાજુ વકીલને મેહુલ બોઘરાને જાહેરમાં માર મારવા મામલે કોર્ટે તારીખ 20 ઓગસ્ટના રોજ આરોપી સાજન ભરવાડના 5 દિવસના રિમાન્ડ પણ મંજૂર કર્યા હતા. પોલીસે 7 દિવસના રિમાન્ડની માંગણી કરતા કોર્ટે સાજન ભરવાડના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
જાણો શું હતી સમગ્ર ઘટના?
તમને જણાવી દઇએ કે, થોડાંક દિવસ અગાઉ સુરતના સરથાણા કેનાલ રોડ પર લસકાણા ચોકીથી 50 મીટરના અંતરે વકીલ મેહુલ બોઘરા પર TRBના સુપરવાઇઝર સાજન ભરવાડે જીવલેણ હુમલો કર્યો હતો. સુરતના વકીલ મેહુલ બોઘરાએ ઘટનાસ્થળે પહોંચી સમગ્ર ઘટનાને સોશિયલ મીડિયા પર લાઇવ કરતાં ઉશ્કેરાયેલા સાજન ભરવાડે મેહુલ બોઘરા પર હુમલો કર્યો હતો. આથી,
સમગ્ર ગુજરાતમાં આ ઘટનાને લઇને વકીલોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે આવતી કાલે TRBના સુપરવાઈઝર સાજન ભરવાડે વકીલ મેહુલ બોઘરા પર કરેલા હુમલાનાં વિરોધમાં સુરતના તમામ વકીલો કોર્ટથી કલેક્ટર કચેરી સુધી રેલી કાઢશે.